________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
*
પણ આપણે ચૂકી જઈએ!” આ સાંભળીને ઇન્દ્રભૂતિ વિચારમાં પડયા “અહો! મારાથી મોટો સર્વજ્ઞ બીજો છે કોણ હોઈ શકે? હું જ સૌથી મહાન સર્વજ્ઞ તરીકે ઓળખાઉ છું. આ લોકોએ તે સર્વજ્ઞને જ વન્દન કરવું હોય તો તેઓ મને વન્દન કરી શકે છે. તેમણે સર્વજ્ઞનું પણ જ પ્રવચન સાંભળવું હોય તો તેઓ મારું પ્રવચન સાંભળી શકે છે. તો પછી આ બધા અહીં આવવાના બદલે બીજે કયાં જઈ રહયા છે?” કવિના શબ્દોમાં ઇન્દ્રભૂતિના ઉદ્ગાર આ મુજબ હતા: अहो सुराः कथं प्रान्तया,
तीर्थाश्च इव वायसाः । कमलाकरवद् भेका
मक्षिकाश्चन्दनं यथा ॥ करमा इव सवृक्षान्
क्षीरान्नं शूकरा यथा । अर्कस्या लोकवद् घूका
स्त्यवत्वा यागं प्रयान्ति यत् ॥ “અહો! આ દેવતાઓ કોઈ ભ્રમના કારણે યજ્ઞને છોડીને એ રીતે જઈ રહયા છે. જેવી રીતે કાગડાઓ તીર્થોને, દેડકાઓ સરોવરોને, માખીઓ ચન્દનને, ઊંટ સારા વૃક્ષોને, સૂબ્યુરો (ભંડો) ખીરના ભોજનને, અને ઘુવડો સૂર્યના પ્રકાશને છોડી દે છે. “અથવા તો જેવા એમના જ્ઞાની છે એવા જ આ દેવો હશે!
अहवा जारिसओ चिय,
__ सो नाणी तारिसा सुरा बैंति । अणु सरिसो संजोगो,
गामनडाण च मुक्खाणं ॥ (આ જ્ઞાની સાથે દેવોનો સંયોગ એવો છે, જેવો ગામના નટોની સાથે મૂર્ખાઓનો હોય છે) કારેલાની વેલને કોઈકે કહયું કે: તું લીમડા ઉપર ચઢીશ નહિ. એથી તારી કડવાશ વધી જશે.” પરંતુ એણે કહેવું માન્યું નહિ. છેવટે એ માણસને કહેવું
પડયું. “હે વેલ! આમાં તારો કોઈ દોષ નથી. બધા પોતાના જેવા જ ; વસ ગુણોવાળાઓની સંગતિમાં પ્રસન્ન રહે છે.”
For Private And Personal Use Only