________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હોવાથી ગુરૂદેવ મહેસાણા પધાર્યા, સાથે દ્ધિસાગર, વૃદ્ધિસાગર, કીર્તિસાગરજી જયસાગરજી, વિગેરે સાધુઓ હતા. સંઘે શહેરમાં ધ્વજા પતાકા બંધાવી. વ્યાપારીઓએ દુકાને શણગારી, ઉત્તમ વાત્ર, બેંડ વિગેરે સાથે સંઘ ગુરૂ મહારાજશ્રીની સામે આવી મેટા મહોત્સવ સહ નગરમાં તેમને પ્રવેશ કરાવ્યું. ગુરૂ શ્રી રવીસાગરજી મહારાજની પાદુકાનાં દર્શન કરી સંઘની સાથે મહેલે મહેલે ગુરૂપૂજા-ગહુલીવધામણાં વિગેરે કરાતા છતાં ઉલટભેર વધામણુ કરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં દર્શન સ્તવન રૂપ ભાવ પૂજા કરી ગુરૂ મહારાજ ઉપાશ્રયમાં પધાર્યા. સંઘની અનુમતિ માગી. સંઘે ઉતરવાની અનુમતિ આપ્યા પછી ગુરૂ મહારાજ ઉપાશ્રયમાં પધાર્યા. પછી ગુરૂએ ધર્મોપદેશ રૂપ મંગલાચરણ કર્યું ત્યાર પછી નિત્ય ધર્મ ઉપદેશ વ્યાખ્યાન આપતાં અનેક ધર્મકાર્યની પ્રવૃત્તિઓ સંઘમાં થયાં. અનેક, તપ, જપ, પૈષધ, પૂજા, પ્રભાવના થયાં સંવત ૧૯૭૮ના અસાડ સુદી ૧૩ ના દિવસે ખીમેલના વતની શ્રાવક એટલમલજીને ગુરૂ મહારાજે દિક્ષા આપીને તેમનું ઉત્તમસાગરજી નામ રાખ્યું. ગુરૂદેવની કૃપાથી હિસાગરજીએ વિશેષાવશ્યકસૂત્રવૃત્તિ તથા હરિ ભદ્રીયવૃત્તિને અભ્યાસ કર્યો. દ્રવ્યાનુયેગના વિષયમાં સારે અનુભવ કર્યો જેમાસું પૂર્ણ થતાં ગુરૂદેવ વિહાર માટે તૈયારી કરવા લાગ્યા તે વાતની ખબર પડતાં સંઘે કેટલેક વખત સ્થિરતા કરવાની વિનંતિ કરી. વળી ભાંખરીયા કુટુંબે ઉજમણું કરવાને ભાવ જણાવી ગુરૂદેવને ત્યાં રહેવા વિનંતિ કરી. ગુરૂદેવ લાભનું કારણ જાણ ક્ષેત્રસ્પર્શનને યોગ હોય તેમ
For Private And Personal Use Only