SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ચરિત્ર વિહાર કરી લે એનારાયણ સંન્યાસીના મઢમાં સ્વામીજીના આગ્રહથી એક દિવસ રહ્યા. ત્યાં સાણંદના શ્રાવકા સાથે હાવાથી રેવાનંદ સ્વામીજી સાથેની ગુરૂદેવની ધ ચર્ચા મહુ રસ પૂર્વક સાંભળતાં તેઓને આનદ થયા. તત્ત્વના વિશેષ અનુભવ થયેા. ત્યાંથી સરખેજ થઈ એલીસબ્રીજની સડક ઉપરના લલ્લુભાઇ રાયજીના ખંગલામાં કેટલાક વખત રહ્યા. ત્યાંથી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈના વડાના ઉપાશ્રયમાં સથે કરેલા મહાત્સવ સહુ પધાર્યા. આ વખતે અમદાવાદમાં રાષ્ટ્રિય કોંગ્રેસનુ' તેમજ મુસ્લીમ લીગનું અધિવેશન એકી સાથે મળ્યું હતુ. તેમજ અખિલ જીવદયા મંડળની મીટીંગ પણ મળી હતી. પ્રજા તથા સરકારને વિચાર ભેદમાં સંઘષ ણુનું વાતાવરણ ચાલતું હતું તેથી સધના શ્રાવકામાં પણ સક્ષાલ આવવા સાઁભવ હતા. પૂજય ગુરૂદેવે શ્રીમાનૂ વિજય નેમીસરીશ્વર સાથે સ ધમાં શાન્તિની સ્થાપના માટે વિચારણા ચલાવી તેમજ વિજય નિતિસૂરીશ્વરજી વિગેરે તેમજ પૂજય શ્રી કપ્રવિજયજીની સાથે સાધુ સંમેલન થાય એના વિચારાની આપલે કરી. ત્યાંથી વિહાર કરી ગુરૂદેવ પેથાપુર તરફ પધાર્યાં ત્યાં માસકલ્પ કરી માણુસા વિજાપુર તરફે પધાર્યાં. વિજાપુરમાં ઢાદરાવાળા ઘેલાભાઈએ ઉજમણ' તથા ચાખળું કરવા ગુરૂ મહારાજની સમક્ષ સંઘભેગા કરી રજા માંગી. તેમજ મુહૂત એવાવી ગુરૂ મહારાજને પધારવા વિનંતિ કરી. તેથી ગુરૂદેવ લેાદ્રા પધાર્યાં. સાથે ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી, કીતિ સાગરજી જયસાગરજી, વિગેરે સુસાધુ સમુદાય હતા. ધર્મના For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy