SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) રાજ્ય, મહેલ વગેરે પદાર્થોમાં પ્રિયપણું માનવું કેમ ઘટે ? અલબત ન ઘટે. આત્મા, સત્યતવને વિચાર કર. હારૂં છે તે જ હારું છે. હવે તે કેમ ભૂલવું જોઈએ ! કહ્યું છે કે, भूली आतमज्ञानकी बाजी, मायामां मकलावं, भ्रमणामां भूलीने रे भाइ, ब्रह्मस्वरूप केम पावू. चेतावू चेती लेजे रे, एकदिन जरुर उठी जावू. न्हाळं त्हारी पासे जाणी, समतामां दील लावू, अलखनिरञ्जन आतमज्योति, वुद्धिसागर ध्यावं. चेतावू. આત્માની જ્ઞાનાદિ કદિ આત્મામાં જ છે પણ જડ પદાર્થોમાં નથી એમ નિશ્ચય છે. હું એક આત્મા છું. કર્મના યોગે સંસારમાં પરિભ્રમણ કરું છું, પણ સંસારમાં નથી. આ પ્રમાણે નિશ્ચય થતાં સહજ સુખસ્વરૂપમય આત્મામાંજ ઉપયોગ રહે છે. આવી શુદ્ધ ઉપયોગદશામાં રહેતાં અનંત આનદની વાનગી મળે છે, આત્માના સુખની વાનગી મળતાં બાહ્યપદાર્થોપર રાગ કે દ્વેષ રહેતો નથી બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે કલેશ રહેતું નથી. બાહ્યપદાર્થો જેવા કે ઘર, મહેલ, પૃથ્વી, ધન વગેરે માટે તૃષ્ણા રહેતી નથી. બાહ્યપદાર્થો માટે મારામારી રહેતી નથી. દેશ, કુટુંબ, વર્ગ, અને ગચ્છ વગેરેની મમતા રહેતી નથી, કોઈ બાહ્યપદાર્થ લેઈ જાય છે તો તેના ઉપર ક્રેશ થતો નથી. જયારે બાહ્યપદાર્થો પર કોઈ પણ પ્રકારને ભાવ ઉત્પન્ન થતો નથી ત્યારે જે સમભાવદશા કહેવાય છે તે પ્રાપ્ત થાય છે. સમભાવનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. અત્ર તો બાહ્યપદાર્થોમાંથી મમત્વભાવ ઉવાથી તેમાં રાગ થતો નથી, એટલું જ કહેવાનું છે, વૃત્તિથી જગતના પદાર્થો શ્રેષરૂપ લાગે છે, અને રાગવૃત્તિથી જગતુના પદાર્થો રાગરૂપ લાગે છે; આમ મનોકલ્પનાથી રાગદ્વેષ વૃત્તિજ ખરાબ છે. કઈ બાહ્ય પદાર્થોને વસ્તુતઃ વિચારીએ તો વાંક નથી. રાગ અને ષવૃત્તિ થાય છે તેમાં અજ્ઞાન અને મેહનાં આવરણ કારણ છે. શુદ્ધાત્મા તેમાં કારણ નથી; આ પ્રમાણે વિચારીએ છીએ તો માલુમ પડે છે કે, મન કલ્પનાથી પ્રિયાપ્રિયત્ન ભાવનાની જંજાળ ઉઠી છે અને તેથી જ આત્મા જડ પદાર્થો તરફ અને દુઃખ તરફ ઘસડાતો જાય છે, તેમજ અનેક પ્રકારના અને વતાર ધારણ કરે છે. જ્યારે અજ્ઞાન મોહમય મન કહપના નાશ પામે છે ત્યારે સંસારનો અંત આવે છે. મોહમય મન:કલ્પનાથી દૂર રહેવા માટે આ માને ભાવવો. સર્વ જડ વસ્તુઓમાં પ્રિય અને અપ્રિયભાવ થાય છે તે ન થવા દેવ જોઈએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તે કર્મભાવથી ભિન્ન છે તેને યથાર્થ વિચાર કરી જવો. આ પ્રમાણે વિવેકજ્ઞાનથી આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારતાં રાગ ચો. ૪ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy