________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનેતર સમાજ ઉપર પણ અપૂર્વ ઉપકાર કર્યો છે, એમ કહ્યા વિના ચાલતું નથી. ખરેખર સન્ત પુરૂષો, મહાત્માઓ, પોતાના સમયનો, પોતાના જ્ઞાનનો ઉપયોગ અન્ય જનોને બોધ કરવામાં અને પુસ્તકો રચવામાં કરે છે તેજ સર્વોત્તમ ધર્મમાર્ગ છે; કેમ કે, અન્ય જનો ઉપર ઉપકાર થવા પૂર્વક સદાકાળ જ્ઞાનના વિચારોમાં જ મશગુલ રહેવાથી બાહ્ય ખટપટોમાં પ્રવેશતું નથી.
આ ગ્રન્થમાં યોગના અંગે ઘણી બાબતો વર્ણવી છે અને તેમાં, દેહ અને આત્મા, આત્માનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ, મનોગુપ્તિનું સ્વરૂપ, ઇન્દ્રિયો તે આત્મા નથી, આત્મા કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય, જ્ઞાનક્રિયાથી મુક્તિ, પરમાત્મ થવાની કુંચી, યોગની સાધના કેમ કરવી જોઈએ, કઈ અવસ્થામાં વધુ સારી થઈ શકે, યોગના અષ્ટ પ્રકાર અને તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ આદીની જરૂર તથા તેની રીતો, તેમજ સ્વરોદય જ્ઞાનનું દિગ્દર્શન કરાવી, તેમાં કઈ વખતે શું કરવું? અમુક વખતે શું થશે ? કઈ દિશામાં કયું તત્વ રહ્યું છે અને તેનું ફળ શું ? તે જણાવ્યું છે. તેમજ પ્રાણાયામથી રોગ નાશ પામે છે, પ્રાણવાયુ સાધનારા ચોગીઓ અન્યોના શરીરમાં પ્રવેશ કરે છે, તે તથા તેનો અભ્યાસ કેવી રીતે શરૂ કરવો, ધારણાનું સ્વરૂપ, મનનો પ્રત્યાહાર, તેને જીતવાના ઉપાયો, મનની દશાનું વર્ણન, વગેરે ઉપર સારું વિવેચન કર્યું છે, છેવટે અષ્ટાંગ યોગનો અધિકારી કોણ? ચારિત્રક્રિયાના ભેદ, તેનું ફળ, સમ્યકત્વ દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ, ચારિત્ર કોની પાસે લેવું, વગેરે વર્ણવી યોગને પ્રકાશ કરવામાં દીપકસમાન એવું આ ગ્રન્થનું ચગદીપક નામ સાર્થક કર્યું છે.
છેવટે આવા અમૂલ્ય ગ્રન્થનો પ્રકાશ કરવાને સહાય કરનાર, સુરતના દેવ, ગુરૂ અને ધર્મઆરાધક સુશ્રાવક–પ્રખ્યાત ઝવેરી લલ્લુભાઈ ધર્મચંદ ઝવેરીને ધન્યવાદ આપી, સુજ્ઞ જનો હંસ ચંચુવતુ સાર ગ્રહી ગુરૂવર્યની આ રચનાનો અમૂલ્ય લાભ મેળવશે એમ ઈછી વિરમીએ છીએ.
મુંબઈ-ચંપાગલી.] ફાગણ વદ ૭ વિરસંવત ૨૪૩૮.J
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
For Private And Personal Use Only