SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૩ર) પ્રમાણે પોતે કરે છે. જ્ઞાની પુરૂષ, પોતાની સાથેદશાને કદાપિ ભૂલતો નથી. તે પિતાના આત્મોપયોગમાં રમણના કરે છે અને પરમસુખ માટે ધર્મની આરાધના કરે છે. આત્મજ્ઞાનિની દશા બતાવ્યા બાદ ભવ્ય જીવોને આમપ્રતીતિ કરાવવા માટે દૃષ્ટાંતદ્વારા આત્મસ્વરૂપ જણાવે છે. વા. काष्ठे वन्हिस्तिले तैलं, घृतं दुग्धे च तिष्ठति । तद्वत् कम्मेप्रयोगेण, आत्मा देहे प्रतिष्ठते ॥ ९४ ॥ શબ્દાર્થ-કાછમાં વહિ, તિલમાં તૈલ, દુધમાં વૃત, જેમ રહે છે, તેની પેઠે કર્મના પ્રયોગ વડે દેહમાં આત્મા રહે છે. ભાવાર્થ:–દેહમાં આત્મા રહે છે પણ દેહથી ભિન્ન છે. દેહ પાંચ પ્રકારનાં છે. ઔદ્યારિક શરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસશરીર અને કાશ્મણશરીર, આ પાંચ પ્રકારનાં શરીર છે. જ્યાં સુધી આત્મા સંસા૨માં છે ત્યાં સુધી તેની સાથે દરેક ગતિમાં તૈજસ અને કાશ્મણ શરીર સાથે રહે છે. કર્મના યોગે અનાદિકાળથી આત્મા દરેક ગતિ ચોગ્ય શરીરને ધારણ કરી તેમાં આયુષ્યની મર્યાદાપર્યત રહે છે. આત્મા શરીરમાં રહે છે પણ તે શરીરથી ભિન્ન છે. કેટલાક પંચભૂતને આત્મા માને છે, પણ પંચભૂત તે આત્મા નથી; આત્મા પંચભૂતથી ન્યારો છે, આતમારૂ શરીર છે એમ કહેનાર શરીરથી ભિન્ન ઠરે છે. હું ગૌર છું હું સ્કૂલ છું, આવી બુદ્ધિ તે ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે. હું ગૌર શરીર ધારક છું, હું લશરીર ધારક છું, એમ અર્થ અવધિને આત્મતત્વની પ્રતીતિ કરવી. આત્મતત્વની પ્રતીતિ થવી મહા દુર્લભ છે. અનુભવજ્ઞાનથી આમાની પ્રતીતિ થાય છે. કોઈ અધ્યાત્મતત્ત્વવેત્તાઓને અનુભવજ્ઞાન થઈ શકે છે. શ્રી સદ્ ગુરૂની ઉપાસના કર્યા વિના આત્મતત્ત્વની પ્રતીતિ થતી નથી. આમાની અસ્તિતા માટે આ ત્મસ્વરૂપનામના ગમત ગ્રન્થમાં ઘણું કહેવામાં આવ્યું છે, માટે અત્ર વિશેષ વિસ્તારથી લખવામાં આવતું નથી. આત્માની અસ્તિતાવિના કામમાં નથી એવું વાક્ય બોલી શકાય જ નહીં. કારમાં નથી એ વાક્ય કહેનાર આત્માનું જ્ઞાન કરીને ગરમા નથી એમ બોલે છે કે, આત્માનું જ્ઞાન કર્યા વિના ગરમા નથી એમ બોલે છે ? પ્રથમ પક્ષ અંગીકાર કરીને કહેશો કે “આત્માનું જ્ઞાન કરીને આત્મા નથી એમ બોલે છે ” આમ પણ કહેવું આમાની અસ્તિી તાજ સિદ્ધ કરે છે કારણ કે પ્રથમ આમા નામનો પદાર્થ છે એમ જાણ્યું પશ્ચાતું નથી એમ કહેવું તે સત્યનો અપલાપ માત્ર છે. આત્માનું જ્ઞાન થયું For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy