________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ નથી, ઈષ્ટ સ્થાને જઈ શકતું જ નથી. તેમ વાદી પ્રતિવાદી તત્વ વિચારમાં પોતાના પક્ષ માત્રની જ પ્રતિપત્તિ બીજાને કરાવવા માટે અભિનિવેશ એટલે પિતાના મતમાં આગ્રહી હોવાથી, અન્યના વચનની અપેક્ષાને ગ્રહણ નહિ કરતે હેવાને કારણે વિચિત્રવાદને સ્થાપન કરવા છતાં પણ સત્ય પારમાર્થિક તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ અન્ય પ્રતિવાદીને પણ પોતાના કહેલા સિધ્ધાંત માન્ય કરાવી શકતા નથી. ૬૭
આમ વાદથી તની સિધ્ધિ થતી નથી, તે પછી સર્વને સત્ય તત્ત્વ સમજાવવાને કર્યો ઉપાય છે તે જણાવે છે –
अध्यात्ममत्र परम, उपायः परिकीर्तितः। गतो सन्मार्गगमनं, यथैव ह्यप्रमादिनः ॥६८॥
અર્થ:--અપ્રમાદી આત્માઓને મેક્ષના સાચા માર્ગમાં ગમન કરવાના ઉપાય રૂપ પરમ તત્ત્વના યથાર્થ જ્ઞાન પૂર્વક અધ્યાત્મ ભાવનું ચારિત્ર જ છે, તે અધ્યાત્મ ગજ એક માત્ર ઉપાય છે, તેના વિના બીજે ઉપાય નથી એમ પંડિતેએ કહેલું છે. ૬૮
વિવેચન–આ સંસારમાં અનેક દુ:ખના કારણરૂપ સંસારને અંત લાવવા માટે પરમ સુખના ધામ રૂપ મેક્ષની પ્રાપ્તિને ઉપાય એક માત્ર અધ્યાત્મ જ છે. અધ્યાત્મ એટલે આત્મામાં રહેલા ગુણેને વિકાસ કરવાને જે ઉપાય તે અધ્યાત્મ છે. તેનાથી જ આત્માને તરવ એટલા જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને
For Private And Personal Use Only