________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કર ] થાય છે એટલું જ નહીં પણ સૂત્રક્રિયાદિને વિનાશ થાય છે. જે ૧૪ છે
ભાવાર્થ-અવિધિથી ક્રિયા કરવાને પક્ષ કરનાર પિતાના મતની પુષ્ટિમાં દલીલ કરે છે કે-અવિધિથી કરાતું અનુષ્ઠાન બીજું કંઈ ન કરે તે પણ તીર્થનું તે રક્ષણ કરે છે જ, આવું ખોટું આલંબન ન લેવું જોઈએ, કારણ કે અવિધિ યુક્તધર્માનુષ્ઠાન કરવાથી એક તે મૃષાવાદનું પાપ અને બીજો શુદ્ધ કિયાને લેપ થાય છે. સૂત્રમાં પ્રરૂપેલા વિધિથી વિપરીત-બીજી રીતે કરવાથી અશુદ્ધતા વધે, અર્થ–પરમાર્થ ભૂલાય અને ક્રિયા કરવામાં આત્માને આનંદ પણ ન આવે. અનુક્રમે સૂત્રોક્ત કિયાને અભાવ થાય છે, તેથી પણ તીર્થ, શાસન અને શાસ્ત્રને પણ લેપ થાય છે. ફક્ત એકલે ભક્ત કહેવાતા મનુષ્યોને સમુદાય જ સંઘ-તીર્થ ન જ કહેવાય, જિનેશ્વરપ્રણીત શાઆશાને ન માનનારને તે હાડકાંને સંઘ-ઢગલે જ કહેવાશે??? કહ્યું છે કે-(જેમ જેમ બહુ જનસંમત, બહુ શિષ્ય પરવરીયે; તેમ તેમ જિનશાસનને વૈરી, જે નહીં નિશ્ચય દરી) “માગુત્તો સંયો' પ્રભુની આજ્ઞાને અનુસરનારા તપ, જપ, સંયમ અને ક્રિયારૂપ આત્મધનથી સમૃદ્ધિવંત સાધુ, સાધ્વી અને પિતાની શક્તિ અનુસારે પ્રભુ આજ્ઞાથી યુક્ત દાન, શીલ, તપ, ભાવ અને વ્રત પ્રત્યાખ્યાનથી યુક્ત શ્રાવક તથા શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પ્રતિપાદન કરે છે.
For Private And Personal Use Only