SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૯ ] અને લેક ગમે તે ખેલે તેની પસ્યા ન કરતાં પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એવા વિચા રની ધૂનમાં આવી જઇને શ્રીમદ્ યશાવિજયજી એક પરમાત્માની રીઝમાં પોતાનું મન લગા છે તે મલ્લિનાથના સ્તવનથી માલુમ પડે છેઃ—— तथा च मल्लिनाथ स्तवन: તુજ મુજ રીઝની રીત, અટપટ એહુ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. મલ્લિનાથ તુજ રીત, જન રીઝે ન હુએરી; દાય રીઝને ઉપાય, સાહમુ કાંઈ ન જુએરી. દુરારાધ્ય છે લાક, સહુને સમ ન શરીરી; એક દુહુવાએ ગાઢ, એક જો ખેલે હસીરી. લાક લેાકેાત્તર વાત, રીઝવે દાય છરી; તાત ચક્રધર પૂજ્ય, ચિન્તા એક ટુરી. રીઝવવા એક સાંઈ, લેાક તે વાત કરેરી; શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિજ ચિત્ત ધરેરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ + કવિ પોતેજ પાત્ર બનીને ભક્તિ વિષયક હૃદયની સ્ફુરણાને શબ્દાદ્વારા બહાર કાઢે છે ત્યારે તે ભક્તિ વિષયાદિના સ્વાભાવિક કવિ ગણી રાકાય છે. શ્રીમદ્ ભક્તિના પાત્ર બનીને દુનિયાની પરવાના ત્યાગ કરીને પ્રભુને રીઝવવા માટે ખરે। નિશ્ચય પ્રગટ કરે છે તેથી તેઓ ભક્તિની કેટિમાં કેટલી બધી ઉચ્ચતા મેળવે છે તેના વાચકે પેાતાની મેળે ખ્યાલ કરશે. કેટલાક શુષ્ક જ્ઞાનીઓનાં હૃદય તપાસવામાં આવે છે તે! મારવાડની ભૂમિની પેઠે સૂકાં હાય · છે; તેઓના હૃદયમાં પ્રભુ પ્રેમ ન હોવાથી જગત્પતિ ઉચ્ચ પ્રેમ હોતા નથી તેથી તેઓનું મન ઉદાસ લાગે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહાન્ તાર્કિક શિરામણિ અને મહાન તત્વજ્ઞાની હોવા છતાં તેમના હૃદયરૂપ પર્વતમાંથી ભક્તિનાં પ્રેમ ઝરણા વહે છે અને તેથી તે પોતાના આત્માની ઉચ્ચતા ધારણ કરવા કેટલા બધા પયત્નશીલ થયા છે તે વાચકાને સ્વયમેવ જણાશે. For Private And Personal Use Only સ્વરૂપની ઝાંખી. ઉપાધ્યાયજી જે પ્રભુની સ્તવના કરે છે તેમાં જ્ઞાન ગર્ભિત પ્રેમ તે દેખાયા વિના રહે તાજ નથી. તે પરમાત્માનું ધ્યેયરૂપે જે વર્ણન કરે છે તે અનુભવ અનુભવ જ્ઞાનવડે પ્રભુના પામીને કરે છે એમ સહેજે તેમના સ્તવનથી માલુમ પડી આવે છે. ઉપાધ્યાયજી વીશમા મુનિસુવ્રત સ્વામિના સ્તવનમાં પ્રભુના ગુણાની સેવનારૂપ ભક્તિને ઉલ્લેખ કરીને પોતાનો અપૂર્વ અનુભવ રસ પ્રગટ કરે છે. તે કયે છે કે હે પ્રભુ તું જાગતા છે, મારા હ્રદયથી કદી દૂર થતા નથી. હું ધન જારસ્તાઉપકાર સંભારીએ છીએ ત્યારે આનંદ પ્રગટે છે. પ્રભુના ઉપકારથી ગુણી ભરાયના મનમાં એક અવગુણુ સમાઈ શકતા નથી, આવી ઉપકારભાવના પ્રકટ થાય છે તેને આ બાબતને અનુ ભવ આવે છે. પ્રભુના ગુણ્ણાની સાથે જે આત્માના ગુણ અનુબંધી થાય છે તે અક્ષયરૂપે પરિણમે છે. પ્રભુના શુદ્ધ પ્રેમ ખરેખર અક્ષયપદ દેવા સમર્થ બનેછે. પ્રભુનું સ્વરૂપ ખરેખર અક્ષરવડે ગાચર નથી. અનુભવ જ્ઞાનવર્ડ પ્રભુના સ્વરૂપની ઝાંખી થાય છે. ધૃત્યાદિવડે મુનિ સુન્નતની અપૂર્વ સ્તનના નીચે પ્રમાણે કરે છેઃ—
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy