SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪ ] ૩૬ વિચારબિંદુને બાલાવબોધ. ૩૭ કુમતિ ખંડન સ્તવન. ૩૮ સુગુરૂની સજજાય, ૩૮ ચડતા પડતાની સજાય. ૪૦ યતિધર્મ બત્રીશી. (જનકાવ્ય સંગ્રહમાં પૃષ્ટ ૨૩૦ માં. ૪૧ સ્થાપના ક૫ની સજજાય. (બુદ્ધિપ્રભા માસિક ૧૯૬૫). ૪૨ સમુદ્ર વહાણ સંવાદ. ૪૩ પંચપરમેષ્ટી ગીતા. (ભજનપદ સંગ્રહ. ભાગ ૪). ૪૪ બ્રહ્મ ગીતા. (ભ. ૫. સં. ૪.). ૪૫ સમ્યક ચોપાઈ ૮૬ સીમંધર ચૈત્યવંદન (જેનકાવ્ય પ્રકાશ પાન, ૧ ભીમશી માણેકે છપાવેલ). ૪૭ ઉપદેશમાળા. એકંદરે શ્રીમદ્દ યશોવિજયજીએ ન્યાયના વિષય ઉપર ૧૦૮ ગ્રન્થો લખ્યા છે એમ કહેવામાં આવે છે; અને ૨૦૦૦૦૦ (બે લાખ) લોક બનાવ્યા છે. શ્રીમદ્ જનકવિ છતાં શ્રીમદે ગુજરાતી ભાષામાં ગ્રન્થ લખીને ગુર બંધુઓ ઉપર માટી ગુજરાતી સાહિત્યને કેવી રીતે પડ્યું. ઉપકાર કર્યો છે. કોઈ એમ કહેશે કે તેમના ગ્ર ઉપકાર કયા દ જૈન ધર્મને લગતા આ છે; તો આના ઉત્તરમાં કહેવું પડશે કે પ્રેમાનન્દના ગ્રન્થ જેમ વૈષ્ણવ વા હિન્દુ ધર્મને લગતા હતા પણ ગુર્જર ભાષાના પોષક હતા. તેમ શ્રીમદ યશોવિજયજીના ગ્રન્થો પણ જન ધર્મને લગતા હતા તો પણ ગુર્જર ભાષાના પોષક હતા. જૈન કવિઓના ગુર્જર ભાષાપ્રેષક ગ્રન્થોમાં ભાગધી શબ્દો આવી જાય છે તેનું કારણ એ છે કે જેને સાક્ષર મુનિએને સંસ્કૃત ભાષા અને માગધી ભાષાને અભ્યાસ કરવો પડે છે. માગધી ભાષા કે જેને બાકૃત ભાષા કહેવામાં આવે છે તેમાં જૈનાચાર્યોએ હજારો ગ્રન્થ લખેલા છે તેથી પ્રાકૃત ભાષાના શબ્દો પ્રસંગોપાત આવી જાય એ બનવા યોગ્ય છે. અસલની પ્રલિત બ્રાધા પાકૃત ગણાય છે. ગુજરાતી ભાષા પણ વસ્તુતઃ પ્રાકૃત ભાષા ગણી શકાય છે. વડોદરાના કવિ પ્રેમાનન્દની સાથે શ્રીમદ્દ યશોવિજયજીની મુલાકાત થઈ હશે કે કેમ તે નક્કી કહી શકાતું નથી. વડોદરામાં કવિરાજ પ્રેમાનન્દનું શરીર છૂટયું, અને ડભોઈમાં વૈષ્ણવીય કવિ દયારામ અને જનસાક્ષર કવિરાજ શ્રીમદ્ યશોવિજયજીનો દેહોત્સર્ગ થયો. આ ત્રણ કવિ માટે વડોદરા અને ડભાઈ ગામ સદાકાળ ગુજરાતી સાક્ષરોને સ્મરણીય રહેશે. અમદ્દ યશવિજયજીએ દેવની સ્તુતિ કરીને ભક્તિ માર્ગની પુરી કરી છે. ભક્તિના વિષયમાં યશોવિજયજી અપુર્વ પ્રેમથી પરમાત્માની સ્તુતિ કરે છે. શ્રીમદ ભક્તિ પ્રેમ. તેમનું હૃદય ભક્તિ રસથી ઉભરાટ, નય છે તે નીચેના સ્તન કાવ્યોથી માલુમ પડશે – અજિતનાથ સ્તવન અજિત જિગંદ પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંગ કે. માલતી ફુલે મેહીઓ, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજીત ૧. ગગા જળમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે; સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હે જગ ચાતક બાળ કે. અછત ૨. કિલકલ કુજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછાં નરવર નવિ ગમે, ગિરૂઆ શું છે એ ગુણને પ્યાર કે. અન્ન ૩. For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy