SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) સ્થળના ઐતિહાસિકસ્તાનથી ચડતી પડતીને પૂર્ણ વિવેક પ્રાપ્ત થાય અને ચડતીના હેતુઓને અવલંબે એ ઉદેશના કર્તવ્યની પ્રાધાન્યદષ્ટિએ વિજાપુર વૃતાંત લખવાની પ્રવૃત્તિ થયેલી છે તે સુજ્ઞજનો સહેજે અવબોધી શકશે. ગૃહવાસમાં માતાપિતાને પુત્ર પર મહાન ઉપકાર થાય છે, તે જ જન્મભૂમિનો ઉપકાર પણ હોય છે, નિષ્કામીદશાએ ત્યાગી થઈને પણ મહાત્માઓને એ સ્વફરજદષ્ટિએ તથા ઉપપત્ર શીવાનામ્ એ સુત્રદષ્ટિએ નિષ્કામપણે જન્મભૂમિ-દેશીયમનુષ્યને અનેક રીતે બધા આપ જોઈએ કે જેથી તેઓ જન્મભૂમિના ઉપકાર-ઋણમાંથી ઉપદેશ ફરજ અદા કરી છૂટી શકે. મહાત્માઓની વસુધા-કુટુંબ દૃષ્ટિ હોય છે. સર્વભૂમિપર સમાનભાવ હોય છે તે પણ જગતના વ્યવહારની દૃષ્ટિએ સંસારી મનુષ્યને સ્વજન્મભૂમિ પ્રેમ ઉત્પન્ન થાય અને તેઓ વિવેક પ્રાપ્ત કરીને વ્યાપકદષ્ટિવાળા બને તેવી દષ્ટિના પગથીયે ચઢાવવાની મુખ્ય ફરજ તેઓની હેય છે. માલનો ચેન ગતઃ સ , અદ્યરાતિ શ્રેષ્ઠ તત્તત saઃ એ સુત્ર પ્રમાણે બાળજીને સ્વભૂમિપ્રેમ પ્રગટે, દેશપ્રેમ પ્રગટે, સ્વર્તવ્ય કર્મ સુઝે, નતિના ઉપાય સુ એવી દષ્ટિએ મહાત્માઓને બાળજીવન વિચારોને પિતાના ઉપર આરોપ કરી પ્રવૃત્તિ કરવી પડે છે અને અન્તરથી સાક્ષરૂપ પાત્ર બની કર્તવ્ય બજાવી નિર્લેપ રહેવું પડે છે એ નિયમને અનુસરી વિદ્યાપુર વૃત્તાંત લખવામાં પ્રવૃત્તિ થઈ છે- સર્વને પરસ્પર એક બીજાનો ઉપકાર છે. જન્મભૂમિના ઉપગ્રહ ( ઉપકાર ) ને ગ્રહ્યા વિના કોઈ પણ જીવી શકતો નથી. નિષ્કામદષ્ટિએ ગમે તે રીતે સ્વફરજથી જન્મભૂમિને ઉપકાર પાછો વાળવો જોઈએ. નિષ્કામદશાએ ત્યાગી મનુષ્યો લે, ગ્રંથો અને ઉપદેશ આપીને સ્વફરજ અદા કરી સ્વજન્મ ભૂમિને ઉપકાર વાળી શકે છે. માતા-પિતાને ઉપકાર, શિક્ષકોને ઉપકાર, આજુબાજુના સંબંધીઓને ઉપગ્રહ, પાંચ ભૂતને ઉપકાર, ધર્મ-વિદ્યા દાતાઓનો ઉપકાર વગેરે અનેક જાતના ઉપકાર તળે આ લેખકનો આત્મા આવેલ છે તેથી તે સ્વજન્મભૂમિને ઉપગ્રહ કરવા સ્વફરજ અદા કરે છે. માતાપિતા, કુટુંબ, પશ્ચાત શિક્ષકોના ઉપકાર, પશ્ચાત જૈનદેશી શેઠ નથુભાઈ મંછાચંદના ઉપકારથી ઉપગ્રહીત થવું પડયું. સં. ૧૮૪૭ની સાલથી વિદ્યાશાળામાં ધાર્મિક શિક્ષણ લેવા માંડયું, ત્યારથી દોશી નથુભાઈ મંછાર્ચ દના સંબંધમાં આવવું પડયું. દોશી નથુભાઈ મંછાચંદના અનેક ગુણેની અસર અમારા આત્માપર થઈ. વિજાપુર વિદ્યાશાળાના વહીવટમાં શેઠ નથુભાઈ મંાચંદ સં. ૧૯૨૪ની સાલથી શેઠ મંછારામ લવજીની સાથે જોડાયા. For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy