SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) પન્નરમા સૈકામાં તે સર્વે દશાશ્રીમાળી વણિકે જેનધમી હતા અને તે વખતે પ્રાંતિજમાં જૈન ઓશવાળ વણિકોનાં પણ ઘર હતાં. સત્તરમાં અને અઢારમા સૈકામાં જૈન વણિકે માંથી કેટલાક સ્થાનકવાસી જૈન થવા લાગ્યા, અને કેટલાક વેણુવ થવા લાગ્યા. હાલ ત્રણેમાં નાત જમણુ અને કન્યા વ્યવહાર ભેગે છે પણ ભવિષ્યમાં શંકા છે. પ્રાંતિજમાં હુંબડાનાં પાંચસેં ઘર હતાં, પાછળથી સકે સેકે તેઓની વસતેં ઘટવા લાગી છે, હાલ હુંબડ જૈનોનાં ત્રણ ઘર છે. હુંબડ જૈનોનું દેરાસર છે. તે ભોંયરા સહિત છે. તે ભેંયરામાં નગ્નમૂર્તિઓ છે. દેરાસરની પાસે દિગંબરને ઉપાશ્રય છે. તેમાં હાલ હુંબડ જેનડીંગની સ્થાપના કરેલી છે તેમાં વિદ્યાર્થીઓ રહે છે. સ્થાનકવાસી જૈનેના બે ઉપાશ્રય છે. સ્થાનકવાસી સાથ્વીના ઉપાશ્રય કરતાં સ્થાનકવાસી સાધુને ઉપાશ્રય મોટા છે, અને દરિયાપારી સંઘાડાના શ્રાવકે તે ગણાય છે. વેતાંબર મૂર્તિપૂજકનું પહેલાં મહાજન તરીકે ઘણું જોર હતું, અને હાલ પણ મહાજનમાં તેમની મુખ્યતા છે. હાલ થતાંબર જેનું એક શ્રી ધર્મનાથ તીર્થકરનું દેરાસર છે. વેતાંબર જેનેના પાંચ ઉપાશ્રય છે. બે શ્રાવિકાઓના ઉપાશ્રય છે, એક માટે ઉપાશ્રય છે તેમાં સાધુઓ ઉતરે છે, તેની પાસે વિદ્યાશાળા છે. તેમાં જૈન પાઠશાળાના વિદ્યાર્થિ ભણે છે અને તે સાધુઓના તથા સાધ્વીઓના ઉતરવાના ખપમાં આવે છે, પ્રાંતિજના શ્રાવકે શ્રી નેમિસાગરજીના સંઘાડાના ગણાય છે. શ્રી નેમિસાગરજી મહારાજે તથા શ્રી રવિસાગરજી મહારાજે, શ્રી કલ્યાણસાગરજીએ તથા શ્રી હીરસાગરજી વગેરે સાગર સંઘાડાના સાધુઓએ અને સાથીઓએ પ્રાંતિજના શ્રાવકેને શ્રાવક તરીકે ધર્મબોધ આપીને સંરક્યા છે. પ્રાંતિજના તપગચ્છ શ્રી પૂ જ્યના વખતને એક ઉપાશ્રય હતું તે હાલ પડી ગયે છે. તેમાં માણિભદ્રવીરની સ્થાપના હતી. શેઠ પાચાલાલ ડુંગરશીએ જેને નેમેટો ઉપાશ્રય કરવામાં સારી સહાય આપી છે. પન્યાસ શ્રી અજિતસાગર ગણિએ પ્રાંતિજમાં સ્વજ્ઞાનભંડારની સ્થાપના કરી છે. પ્રાંતિજમાં વીસમા સૈકાના આદ્ય ભાગમાં સ્થાપન કરેલી પાંજરાપોળ છે. એક સરકારી સાર્વજનિક ઈંગ્લીશ શાળા છે, અને ખ્રીસ્તીની મદ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy