________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યાં હોય અને તેમાંના બે ઘાંટુ અને પશ્ચાત્ સંઘપુરમાં રક્ષણ પામ્યાં હોય તેમ જણાય છે. તેમાં પ્રથમનું પાટીલું લેકે ૧ થી ૬૫ સુધીનું તથા ચોથું અથવા છેલ્લું પાણી લેક ૧૧૫ પછીનું મળ્યું નથી. તે જે મથું હેત તે વિજાપુરના ઈતિહાસને સંપૂર્ણ અજવાળું પાડત.
ર. રા. વકીલ મેહનલાલ દલીચંદ દેશાઈ તરફથી આ નિવેદન લખવા સમયે ખબર મળી છે કે લીંબડીના ભંડારમાં વિજાપુર સંબંધી લખાણવાળો ગ્રન્થ છે. જે તે કોઈ ગ્રન્થ ત્યાં હશે તે ત્રીજી આવૃત્તિ સમયે તે મેળવી વધુ પ્રકાશ પાડી શકાશે.
આ વૃત્તાંત જે સ્થળનું છે ત્યાંના એક ધર્મિષ્ટ પરોપકારી અને સ્વબળે આગળ વધી પિતાની શક્તિને સર્વ પ્રકારે પોતાના હસ્તે સદુપયોગ કરનાર ગ્રહસ્થ તે સદ્દગત શેઠ મગનલાલ કંકુચંદનું જીવનવૃત્તાંત પ્રથમવૃત્તિમાં આળેખાયું છે; તે જ થોડી પુરવણુ સાથે આ આવૃત્તિમાં રાખવામાં આવ્યું છે અને તે પ્રાસંગીક જ છે.
પ્રથમવૃત્તિમાં તેઓશ્રી તરફથી દ્રવ્યસહાય મળી હતી; તેમજ આ આવૃત્તિમાં તેઓશ્રીના ઉપકારથી ઉપકૃત થયેલ આ મંડળના એક સભ્ય તરફથી રૂા. ૫૦૦)ની આવક હાય મળી છે આ ભાઈની ઈચ્છા મુજબ આ ગ્રંથસદ્દગત શેઠના સ્મરણાર્થે પ્રગટ થાય છે. અને ગુરૂશ્રીની પણ તથા પ્રકારની જ આજ્ઞા હતી.
આ ગ્રન્થ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડની સુવર્ણ જયુબીલી પ્રસંગે જ બહાર પડતો હોવા સાથે આ વૃત્તાંતવાળા સ્થળના તેઓ અધિપતી-રાજવી હોવાથી તેઓશ્રીના સુંદર છબી આ ગ્રન્થમાં આપવી યોગ્ય ધારી છે, તેમજ શ્રીમદ્ ગુરૂવર્યની દીવ્ય મૂર્તિ, આ વૃત્તાંતવાળા સ્થળે તેઓશ્રીના સમાધિસ્થાને સમાધિમંદીરમાં પ્રતિષ્ઠીત થવાના દિવસેજ બહાર પડતી હોઈ તેઓશ્રીની પણ આબેહુબ છબી આ ગ્રન્થમાં આપવી યોગ્ય જણાઈ છે. વિજાપુર તાલુકાનો નકશો પણ આ ગ્રન્થમાં પ્રગટ કર્યો છે તે પણ યોગ્ય જ ગણાશે.
વિદ્યાપુરમાં–ગુજરાતમાં વિદ્યાના પારંગત એવા ગુરૂશ્રી જેવા વિદ્વાનો વિદ્યાના પૂરની માફક અનેક થાઓ તથા સર્વત્ર ઉચ્ચ વર્તનવાળા, માનનીય, દાની, ધર્મિષ્ટ પુરૂષો વધે અને સ્વકેમ-સ્વભૂમિની ખ્યાતિ વિસ્તારે એવી ભાવનાપૂર્વક વિરમીએ છીએ.
બુદ્ધિ સં. ૧ વિક્રમ સં. ૧૯૮૨
)
લી( છ ગામ જાન પ્રસાર મા
For Private And Personal Use Only