SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવ્યાં છે, એકદર રીતે જોતાં શેઠ મગનલાલ ચંદે જ્ઞાનખાતામાં ને વિદ્યાખાતામાં આશરે પાંચ હજાર રૂપી ખરચ્યા છે. તેથી જમણામાં જ્ઞાનની મહત્તામાં સારે વધારો થયા છે. આવી રીતે હાલના જમાનામાં ઉઝમણુ કરવામાં શેઠે પેાતાને મળેલા ગુરૂના ઉપદેશના સારા ઉપયાગ કર્યાં છે તેથી તેમને ધન્યવાદ ધટે છે. શેડની સંધક્તિની ઉદાર ભાવનાથી દ્યાપનની શોભામાં વૃદ્ધિ થઇ છે. આ પ્રમાણે શેઠ મગનલાલ કદના હસ્તે અનેક શુભકાર્યો બને એવુ ઇચ્છવામાં આવે છે. યાત્રા:——શેઠ મગનલાલે શત્રુંજયની નવાણુ ચાત્રા મહકુટુંબ સ. ૧૯૬૭ માં કરી છે. તથા બાર ગાઉના અને છ ગાઉના સધ હાક્યો હતા. તેજ વર્ષમાં વૈશાખ વદિ ૬ ને દિવસે તીર્થની વર્ષગાંઠ હાવાથી તેઓએ નવે ટુકમાં ભારે આંગી રચાવી હતી તથા નવકારશી કરી હતી. જેમાં આશરે દશ હજાર સાર્મિક અધુઓએ લાભ લીધા હતા. ગિરનાર, સંખેશ્વર, અંતરિક્ષ, આણુ, તારંગા, ભોંયણી, કેશરીયા વગેરે અનેક તીર્થોની ચંદનબાઈ વગેરે પરિવાર સહિત યાત્રા કરી છે અને તીર્થાંમાં દેવભક્તિ, ગુરૂક્તિ વડે પોતાના આત્માની ઉજ્વલતા કરવા પ્રયત્ન કર્યાં છે. ગુરૂભક્તિ:-શેઠ ગુરૂભક્તિમાં આસક્ત છે. શ્રી બુદ્ધિસાગરસૂરિએ સ. ૧૯૬૭ ની સાલમાં મુખાઇ ચામાસું કર્યું ત્યારે ગુરૂભક્તિ કરવામાં ખામી રાખી નહાતી. વિજાપુરના ચેામાસામાં પણ તેમણે આગેવાની ભર્યાં ભાગ લીધા છે. શ્રીમન માહનલાલજી મહારાજ, પન્યાસ કમલવિજયજી, મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી, મુનિરાજ શ્રી લલિત વિજયજી, મુનિ શ્રી પન્યાસ શ્રી હુમુનિજી વગેરે અનેક મુનિરાજોની તેમણે યથાશક્તિ સેવા ભક્તિ કરી છે. ધર્મ શ્રદ્ધા——શેઠ મગનલાલના હૃદયમાં જૈનધર્માંની પૂર્ણશ્રદ્ધા છે. જૈનશાસનના ઉદ્યોત કરવામાં પોતાની શક્તિ પ્રમાણે જૈન શાસન કાર્યોમાં આત્મભાગ આપે છે. સાધુતા ચાગ મળતાં તેઓ વ્યાખ્યાન શ્રવણુ કરવામાં તત્પર રહે છે. વિજાપુરમાં મુનિરાજોનાં ચામાસાં કરાવવામાં તે અગ્રગણ્ય ભાગ લે છે. વિજાપુરમાં ચિંતામણના દેરાસરની પેઢીમાં તેઓ મેમ્બરને હાદો ધરાવે છે. સત ન—શેઠમાં અનેક ગુણાએ વાસ કર્યાં છે, કાઇના ભલામાં યથાશક્તિ ભાગ લેવાને ચુકતા નથી. વ્યાપારી તરીકેના પાતાની પેઢીનેા વ્યવહાર આજ સુધી તેમણે પ્રમાણિકપણાથી ચલાવ્યા છે. એક હિંદુ વૈષ્ણવે તેમને કેટલાક રૂપૈયા મહાદેવ વગેરેમાં ખર્ચવા માટે સાંપ્યા હતા, તે રૂપૈયા શેઠે વિજાપુરમાં મસીયા મહાદેવ, મહાલક્ષ્મીમાતાનુ દેરાસર કરાવવામાં તથા For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy