________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલ કંકુચંદે મુંબઇમાં ઘણું ગરીબોની તથા પાંજરાપોળની ટીમાં મદદ કરી હતી, અને ઘણી ટીપો શેઠીઆઓ પાસે જાતે જઈ ભરાવી હતી. વિજાપુરમાં સંવત ૧૯૫૬ ની સાલમાં પશુઓને ઘણું દુઃખ થયું ત્યારે મુંબઈમાં પાંજરાપોળની ટીપ કરાવી રૂપીઆ દશહજારને આશરે ભાવી આપ્યા તથા મુંબાઈ મોતીના કાંટેથી વિજાપુરની પાંજરાપોળ માટે રૂ. ૨૦૦) નું વર્ષાસન બાંધી આપવામાં મદદ કરી તથા સંવત્ ૧૯૫૬ ની સાલમાં દુષ્કાળીઆએને નવ મહીના સુધી મમરા ચણ આપી મદદ કરી હતી,
- શેઠ મગનલાલ કંકુચદે અનેક મનુષ્યને ગુપ્તાન આપ્યાં છે. તે અન્ન નધિમાં લાવવા જેવી નથી. ગુપ્તદાન આપવાથી અનંત પુરય ઉત્પન્ન થાય છે. ઘણી શ્રાવિકાઓને તેમણે ગુસદાન આપી મદદ કરી છે અને અનેક શ્રાવકેને પણ ખાનગીમાં મદદ કરી છે. માત્ર જેનોને દાન આપી સહાય કરે છે એટલું જ નહીં પણ સર્વ સાધારણ મનુષ્યને મદદ કરે છે. અમદાવાદની જેન બોડીંગમાં બે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે માસીક દશ રૂપીઆ કેટલાક વરસ આપવામાં આવ્યા છે. રાજકોટની જેમ બોડીંગમાં તેમણે રૂપીઆ સે બક્ષીસ આપેલા છે. મુંબઈમાં સ્થપાએલા મહાવીર જૈન વિદ્યાલયમાં તેમણે દરવર્ષે રૂપીઆ પચાસ દશ વરસ સુધી આપવા કબૂલ્યું છે. પાલીતાણુના જેન બાલાશ્રમ વગેરે અનેક ખાતાંઓમાં વખતો વખત તેમણે ઘણું મદદ કરેલી છે અને કરે છે.
જીવદયા–સંઘપુર, ઘસાયતા રામપુરા, મહુડી, હીરપુરા વગેરે સાબરકાંઠાના તેર ગામમાં દશેરાને દીવસે પશુવધ થતો હતો તે બંધ કરાવ્યો છે. હાલ પણ તેમની પશુવધ બંધ કરાવવામાં પ્રવૃત્તિ છે. આગલેડમાં દશેરાને દિવસે એક ભેંસ ભરાતી હતી તેને અટકાવ કરવા માટે અમલદાર વર્ગને કહી આજ સાલમાં સારી સહાય આપી છે-બંધ થયો છે.
સંવત ૧૯૬૭ ની સાલમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે વિજાપુરની પાંજરાપોળમાં અનેક પશુ આવવા લાગ્યાં. તેમના માટે તેમણે સારા બંદોબસ્ત કર્યો છે. સંવત ૧૭૧ ના દુષ્કાળમાં તેમણે ગાય ભેંસના ચારામાં ઘાસની સારી મદદ આપી છે.
દક્ષિણમાં પાણી ગામમાં સં. ૧૯૪૯ ની સાલમાં જીનેશ્વર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે મોટો આગેવાની ભર્યો ભાગ લીધો હતો. નેપાણી તરફની એક શ્રાવિકાએ રૂપીઆ ત્રીસ હજાર ખરચી આસપાસના જેને તેડાવ્યા હતા. દરરોજ સત્તર હજાર માણસે જમતાં હતાં. આઠ દિવસ સુધી સત્તર હજાર જેનેને જમાડવાની તે બાઈ તરફથી સને
For Private And Personal Use Only