________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમવૃત્તિની પ્રસ્તાવના.
વિજાપુર અમારી જન્મભૂમિ હોવાથી તેનું વૃત્તાંત લખવાના કેટલાંક કારણથી ફરજ અદા કરવા કુરણ થઈ. વિજાપુરના પ્રાચીન કાળમાં ક્યા દેશમાં ગણના થતી હતી તે ઐતિહાસિક દૃષ્ટિએ અવલકવાની આવશ્યકતા છે. ટીંડરાજસ્થાન, ફાર્બસરાસમાળા, સુધર્મગચ્છપટ્ટાવલિ, તથા જૈનાચાર્યોત કેટલીક પાવલિમાં વિજયપુર ( વિદ્યાપુર ) વિજાપુરનો નામોલ્લેખ વગેરે હકીક્ત મળી આવતાં વિજાપુરના આસપાસના પ્રદેશને લગતા ઇતિહાસનું જેટલું બને તેટલું અવલોકન કર્યું; વિજાપુર સંબંધી એક લેખ બારેટના ઘરમાંથી મળી આવ્યો. તે વિજલદેવ પરમાર સંબંધી હતું. તેને વૃત્તાંતમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાર્બસ રાસમાળામાં વિજયપુર (વિજાપુર) વસાવવા સંબંધી જે વૃત્તાંત હતું તેને પણ વિજાપુર વૃત્તાંત સાફ્ટથે ઉધૂત કર્યું છે. વિજાપુરના પૂર્વદિશાથી કંઈક અગ્નિખૂણા તરફ સાબરમતીના કાંઠા પર આવેલ જુના સંધપુર ગામમાં શ્રી ચંદ્રપ્રભુના દેરાસરની ભીંતમાં બબ્બે હાથ લાંબાં તથા એકેક હાથ પહેલાં બે પાટીયાં પર એક લેખ છે તે વાંચવા તરફ લક્ષ ગયું. સં. ૧૯૨૪ નો રેલમાં તે તણાયું ત્યારે જૂનું સંધપુર ભાંગ્યું અને નવું સંધપુર વસ્યું–જૂના સંધપુરના દેરાસરમાં જે લેખ છે તે પૂર્વે ઘાંટુના દેરાસરમાં હતો. ઘાંટુમાં એ શિલાલેખ વિજાપુરથી ગયો હોય એમ કલ્પના થાય છે. ઘાંટુના દેરાસરનું ખંડીયેર હજી વિદ્યમાન છે. વિજાપુરના દેરાસરનો મુસદ્ભાનોના વખતમાં ભંગ થયો. તે વખતે પ્રાયઃ તે શિલાલેખને ઘાંટુને સુરક્ષિત જાણી ત્યાં લઈ જવામાં આવ્યો હોય અને પશ્ચાત સં. ૧૮૧૫ લગભગમાં ઘાટુનો ભંગ થયો ત્યારે તે શિલાલેખને જાના સંઘપુરના દેરાસરમાં મૂકવામાં આવ્યો હોય એમ કેટલીક વૃદ્ધ કિંવદન્તીથી અનુમાન કરાય છે. જૂના સંઘપુરમાં જે શિલાલેખ છે તે વાંચતાં વિજલદેવ પરમારે ત્રીજી વારનું વિજાપુર મૂળસ્થાને વસાવ્યું એમ વિજાપુર વૃત્તાંતમાં લખવામાં આવ્યું છે. તેને ટેકો મળે છે. તેમાં વિશેષ એટલું છે કે વિજલદેવના પુત્ર બાહડે વિજાપુર વસાવ્યું એમ શિલાલેખથી સિદ્ધ થાય છે. સંધપુરના દેરાસરમાં ચાર શિલાના પાટીયાપર શિલાલેખ હતો તેમાંથી બે પાટીયાં વિજાપુરમાં આવેલાં સંભવે છે. હાલ ત્યાં બે પાટીયાં છે તેથી તથા તેમાંની અધુરી હકીતથી કેટલીક બાબતોને ચોક્કસ નિર્ણય થઈ શકતો નથી. વિજાપુરમાં પઢાવતીના દેરાસરમાં તથા શ્રી ચિંતામણિ દેરાસરમાં બે શિલાલેખના પાટીયાને તપાસ કરાવ્યો પરંતુ તેની પ્રાપ્તિ થઈ શકી નથી. વિજાપુર સંબંધી શિલાલેખમાં જે શ્લેકે છે તેમાંથી કેટલાક અક્ષરો તથા લીટી સ્પષ્ટ રીતે વંચાતી નહીં
For Private And Personal Use Only