SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) વિ. સં. ૧૯૨૫સુધીમાં પંડિત શ્રી રત્નવિજયજી નામના પ્રખ્યાત કૃતિ થયા તેઓ તેમાં રહેતા હતા. તે લેખક હતા અને વ્રજભાષાના પણ કવિ હતા. બ્રહ્મભટ્ટ કવિ જેઠારામ અને ગિરધર મન્ને વ્રજભાષાના ઉત્તમ કવિવિજાપુરમાં થયા હતા, ત ખન્નેએ શ્રી રત્નવિજયજી પાસે અભ્યાસ કર્યો હતા. તેમની પાછળ શ્રી અમૃતવિજય પડિંત યતિ થયા, તે સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, વ્રજભાષામાં અને ગુજરાતી ભાષામાં કવિતાઓ કાન્ચેા-સ્તુતિયા લખતા હતા, શ્રી અમૃતવિજયજી સારા શીઘ્ર કવિ હતા. તેમની પાસેથી અનેક બ્રહ્મભટ્ટ વિદ્યાથી એએ કવિતા–કાવ્ય શિક્ષણના લાભ લીધેા હતા. તેમણે એક જા યુના રાજાની પ્રાકૃત વગેરે ભાષામાં સારી સ્તુતિ બનાવી હતી. જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા હતા. વૈદ્યતરીકે અમૃતવિજયજી પ્રસિદ્ધ હતા. આંખના કુલાની દવા કરવામાં તે ઘણા કુશળ હતા. તેમણે આંખના કુલાની એક ગેાળી બનાવી હતી. તેએ વૃદ્ધાવસ્થા પૂર્વે દર રવિવારે આગલેડમાં શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવા જતા હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં મસેશ્વર મહાદેવના માર્ગે એક ખેતર વેચાતુ લઈ માણિભદ્રવીરની દેરી બનાવરાવી, તેમાં તેમણે માણિભદ્રવીરની સ્થાપના કરી છે. જૈનેના શાસન રક્ષક વીર તરીકે માણિભદ્રવીર, જૈનાના તપાગચ્છીય ઉપાશ્રયામાં ગામેગામમાં તથા શહેરામાં સર્વત્ર પૂજાય છે. તેમણે માણિભદ્રવીરની પૂજાદ્ધિ માટે એક પૂજારી બ્રાહ્મણને રાખ્યા છે. તે જૈન મહાજન તરફથી રહે છે. તે દેરી જૈન મહાજનના તાખે છે. યતિ અમૃતાવજયજીએ લહુડીાશાળ ઉપાશ્રય નજીક તપોધન બ્રાહ્મણુના માઢ પાસે એક સરસ્વતી માતાની દેરી બંધાવી છે. તેમાં સરસ્વતીની મૂતિ કરાવી તેની પ્રતિષ્ઠા કરી છે. વૃદ્ધાવસ્થા થવાથી અમૃતવિજયજી વહૈારવા જતા નહેાતા, તેથી તે એક દ્વિવાળી નામની તપાધની બ્રાહ્મણી પાસે રસેાઇ કરાવી જમતા હતા. પર્યુષણના આઠ દિવસમાં તે લહુડી પાશાળના શ્રાવકાની આગળ જ્યારે વિજાપુરમાં સાધુએ ચામાસુ કરતા નહાતા ત્યારે વ્યાખ્યાન વાંચતા હતા. તેમની કવિતાઓ–કૃતિયા વગેરેને ભેગીકરી છપાવવાની જરૂર છે. વિ. સ’. ૧૯૫૯માં તેમણે શરીરના ત્યાગ કર્યા. જૈનસંઘે તેમના શરીરના અંતિમ સ ંસ્કાર કર્યાં. તેમના મરણુ ૧૩ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy