________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^
^^^,
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૩૫ લબ્ધ લક્ષ્ય પુરૂષ દરેક બાબતોમાં સાવધાનતા રાખે છે અને જલદી હુંશિયાર થાય છે. જે બાબતની વિદ્યાનો અભ્યાસ કરે છે, તેમાં વિજયી નીવડે છે. અનેક ધર્મસૂત્રનાં રહસ્યને તે જાણી શકે છે. એક વસ્તુના જ્ઞાનથી અનુમાનબળ વડે અનેક વસ્તુઓનું જ્ઞાન કરવા તે સમર્થ બને છે, માટે ધર્મની પ્રાપ્તિમાં લબ્ધ લક્ષ્ય ગુણની આવશ્યકતા છે. લબ્ધલક્ષ્ય મનુષ્ય ધર્મ તના અભ્યાસમાં ખૂબ ઉંડા ઉતરી જાય છે અને ધર્મની પ્રાપ્તિને માટે તે પ્રત્યેક વિચાર બરાબર લક્ષ્ય રાખીને કરે છે, માટે બંધુઓએ અને બહેને એ લબ્ધ લક્ષ્ય ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઇએ.
આ પ્રમાણે એકવીસ ગુણોનું કિંચિત વર્ણન કર્યું. તેવા ગુણોને ધારણ કરનારાઓ શ્રાવક ધર્મને યોગ્ય બને છે.
સંપૂર્ણ ગુણે જેનામાં હોય તે ઉત્તમ પાત્ર જાણવા અને એ ગુણોના ચોથા ભાગે હીન તે મધ્યમ જાણવા અને અર્ધ ભાગે હીન હોય તે જઘન્યપાત્ર જાણવા અને તેથી વધુ હીન હોય તે દરિદ્રપ્રાયઃ અર્થાત અયોગ્ય સમજવા. ધર્મના અર્થીઓએ ઓછામાં ઓછા એક ગુણની પ્રાપ્તિ માટે તે અવશ્ય પ્રયત્ન કરી જોઈએ. જેમ પવિત્ર ચિત્ર શુદ્ધ ભૂમિકામાં સારૂ ઉઠે છે, તેમ આવા ગુણો વડે યોગ્ય હોય તેનામાં ધર્મની ઉત્પત્તિ થાય છે. શ્રાવકેએ શ્રાવકના ગુણે પ્રાપ્ત કરવા જોઈએ. પોતાનામાં પૂર્વોક્ત કહેલા ગુણ ન હોય અને સાધુઓની પંચાતમાં પડવું એ કંઈગ્ય નથી. શ્રાવક ધર્મના ગુણને શ્રાવકોએ પ્રાપ્ત કરવા જોઈએ. જેઓ પિતાને અધિકાર પૂર્ણ મેળવવા અધિકાર પ્રમાણે કહેલા ગુણે પ્રાપ્ત કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રાવક ધર્મના ગુણોને ખીલવ્યાથી ખીલી શકે છે ગુણવિનાને ઘટાટોપ કંઈ ખપમાં આવતો નથી માટે પૂર્વોક્ત ગુણોની પ્રાપ્તિ માટે અપ્રમાદી થઈ ઉદ્યમ કરવો કે જેથી ધર્મની પ્રાપ્તિ અને તેથી પાત્રામપર વળી રાજા. આશા છે કે ભવ્ય ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે.
શ્રાદ્ધધર્મવારે હૈ, સTT વળતા મા श्राद्धानामुपकारार्थ बुद्धयब्धिमुनिना मुदा ॥१॥ ઈતિ શ્રાદ્ધધર્મ સ્વરૂપાધિકારે શ્રાવક ગુણવર્ણન સમાપ્ત,
લેખક. મુનિ બુદ્ધિસાગર. (મુ. મુંબાઈ વાલકેશ્વર ઉપાશ્રય, ચૈત્ર સુદી ૫ મંગળ, સંવત ૧૯૬૭.)
For Private And Personal Use Only