________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
શ્રાવક ધર્મ સ્વરૂપ.
કિંઈ કિંમત નથી. મનુષ્યએ ધર્મની યોગ્યતા માટે પરોપકાર કરવાની ટેવ રાખવી. દરરોજ થોડામાં ઘેડો પણ પરોપકાર તે કર જોઈએ. સામે બદલો લેવાની બુદ્ધિ વિના નિસ્પૃહ ભાવથી પરોપકાર કરનારાઓ ઉત્તમ પરોપકારી ગણાય છે. પોપકારી મનુષ્યો ગમે તેવા દીન થઈ જાય તો પણ તેઓ ઉત્તમ ગણાય છે. જગતમાં સ્વાર્થનો ત્યાગ કર્યા વિના પરોપકાર કરવા કઈ સમર્થ થતું નથી. સ્વાર્થ ત્યાગીને તેમજ ધન, આયુષ્ય, જ્ઞાન વગેરેને ભોગ આપીને કોઈ વખત પરોપકાર કરનારાઓને માથે ઉલટી ઉપાધિ આવે છે, તો પણ તેઓ અપમાન-તિરસ્કારની દરકાર રાખ્યા વિના ઉપકાર કરે છે, જેઓએ જગત ઉદ્ધારને માટે ઘરબાર, કુટુંબ, લક્ષ્મી, પુત્ર, સ્ત્રી તથા વૈભવ પદાર્થોને ત્યાગ કર્યો છે અને સઘળું જીવન મનુષ્યોના ભલા માટે ધર્મોપદેશમાં અર્પણ કર્યું છે એવા મુનિ વર્ગને સદાકાળ નમસ્કાર થાઓ. જેઓ જ્ઞાનોપદેશવડે મનુષ્યોનાં માનસિક દુઓ ટાળીને તેઓને સહજ શાંતિ જણાવે છે, અનુભવાવે છે, ધર્માધિ બીજ અર્પે છે એવા પરોપકારી ગુરૂને મહારે નમસ્કાર થાઓ. આપણું જીવનની ઉચ્ચતામાં આજ લગી અસંખ્ય ઉપકારો અન્યથી થયા છે તે આપણે અન્યોના ઉપકારેને જેવા લીધા છે તેવા યથાશક્તિ પાછા ઉપકાર વાળવા જોઈએ. મનુષ્યોની પાસે જે જે શક્તિ છે તે ઉપકાર કરવાને માટે છે, તેથી ઉપકાર કરવાથી અન્યનું ભલું કરતાં પહેલાં પિતાનું ભલું થાય છે. ઉપકારી મનુષ્ય અને ઉપકાર કરે છે તેમાં કદાપિ અને ઉપકારનું ફળ બેસે કે ન બેસે તેનો નિશ્ચય નથી પણ ઉપકાર કરનારને તો અવશ્ય ફળ થાય છે. જ્ઞાની બનવું સહેલા છે પણ ઉપકારી બનવું મુશ્કેલ છે. ઉપકારી મનુષ્ય જગત જીવોને તારવા માટે સમર્થ થાય છે અને પૂજ્ય બને છે, ઉપકારી મનુષ્ય ધર્મની ગ્યતા પામે છે. જે પરોપકાર ગુણવંત હોય છે તે જ લબ્ધલક્ષ્યગુણ પ્રાપ્ત કરી શકે છે. માટે પોપકાર ગુણુનત્તર લબ્ધ લક્ષ્ય ગુણને કહે છે.
२१ एकवीसमो लब्धलक्ष्य गुण.
लखेइ लद्धलखो, सुहेण सयलंपि धम्म करणिज्जं ॥ दख्खो सुसासणिज्जो, तुरियंव मुसिख्खिओ होइ ॥ २१ ॥
લબ્ધ લક્ષ્ય મનુષ્ય સુખે કરીને સઘળું ધર્મ કર્તવ્ય અવબોધી શકે છે. તે ડાહ્યા અને સુશાસનીય હોવાથી જલદી સુશિક્ષિત થાય છે.
For Private And Personal Use Only