________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૨૫
ખેદની વાત છે કે આગ્રહી મનુષ્ય જ્યાં તેની મતિ બેઠી હોય છે ત્યાં યુકિતને ખેંચી લેઈ જાય છે, પણ નિષ્પક્ષપાત મનુષ્યની મતિ તે જ્યાં યુકિત હોય ત્યાં તણાય છે, માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણવંત પુરૂષ જગતમાં ધર્મતત્વને પરીક્ષક બને છે. શ્રી વીરપ્રભુએ પણ જણાવ્યું છે કેપક્ષપાત ત્યાગીને સત્ય તત્ત્વને ગ્રહણ કરો, શ્રીહરિભદ્રસૂરિ કે જેમણે ચારશે ચોમાલીશ ગ્ર બનાવ્યા છે તે કહે છે કે –
૫ ઋોવા .. पक्षपातो नमे वीरे, न द्वेषः कपिलादिषु ॥ युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ १ ॥
મને શ્રીવીરપ્રભુપર પક્ષપાત નથી. તેમ સાંખ્યતવપ્રણેતા કપિલ વગેરે પર દ્વેષ નથી; જેનું વચન યુક્તિવાળું છે, તેનું વચન ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીહરિભદ્રસૂરિ પૂર્વે વેદધર્મી હતા પશ્ચાત અપક્ષપાત ભાવથી જૈનધર્મનાં ત, યુકિતથી વિચારતાં તેમના હૃદયમાં ઉતર્યા, તેથી તેમણે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. રાગદેષને દૂર કરી નિષ્પક્ષપાત ભાવથી જેઓ શાન્ત પણે અધિકાર પ્રમાણે તોનો વિચાર કરે છે તેઓ વિશેષજ્ઞ બને છે. વિશેષજ્ઞ બનવું એ કંઈ સામાન્ય વાત નથી, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જરૂર છે, સદ્ગુરૂની ઉપાસનાની જરૂર છે, તેમજ તીણ બુદ્ધિની પણ જરૂર છે, તેમજ ઉત્સાહથી તર્કશકિત ખીલવવાની પણ જરૂર છે. અને જેમ જેમ સત્ય સમજાય તેમ તેમ અસત કદાગ્રહ, ત્યાગવાની પણ જરૂર છે.
વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. . પિતાની મેળે સત્ય તત્ત્વનો નિશ્ચય કરતાં પિતાના હૃદયની તે વસ્તુ એના નિશ્ચયમાં સાક્ષી થાય છે. અન્ય મનુષ્યો તેને ભરમાવે છે તો પણ પોતે વિશેષજ્ઞ બનવાથી ભમતો નથી અને અન્યોને પોતે સત્ય તત્વના માર્ગ પર ખેંચી લાવે છે અનેક અજ્ઞાનિકોને બોધ આપી સત્ય માર્ગમાં લાવે છે, તને સારી રીતે તે જાણતા હોવાથી અન્ય મનુષ્યોને સારી રીતે સમજાવે છે. પિતાના કુટુંબને પણ તે સારી રીતે સમજાવી શકે છે તેથી તેઓને પ્રેમ, વિશેષરૂપર સારી રીતે બધાય છે. વિશેષજ્ઞ સત્ય અને અસત્યને સારી રીતે નિર્ણય કરે છે અને સત્ય તત્વને ગ્રહણ કરે છે. વિશેષજ્ઞ જે નિશ્ચય કરે છે, તે જ નિશ્ચયને અન્ય પુરૂષ અવલંબે છે. દરેક વસ્તુમાં રહેલ નિત્ય અને અનિત્યવ ધર્મ સમજવાને માટે વિશેષજ્ઞ યોગ્ય
For Private And Personal Use Only