________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
આપે છે અને તે સાધુઓની પાસેથી કંઈ પણ ધર્મતત્ત્વ ગ્રહણ કરી આવતા નથી. પુરૂષષ અને સ્ત્રીઓમાં નકામી કુયલી કરવાનો વા` વધી પડવાથી તે જેઓની વાતા કરે છે તેને અન્યાય આપે છે અને તેઓનાં દીલ દુ:ખવે છે અને પેાતાનું હૃદય મલીન મનાવે છે. પ્લેગના દરદી વગેરે; પાસે રહેવાથી જેમ કાઈ વખતે ખરાબ હવાના સ્પર્શ થાય છે, તેમ એવા અસતકથા કરનારાએની પાસે રહેવાથી કાઈ વખત અસત્ કથા કરવાના દોષ લાગે છે. ધર્મની કથાઓના સત્ કથામાં અન્તર્ભાવ થાય છે. ગુરૂની નિન્દાની વાત, દેવની નિન્દાની વાત, ધર્મની નિન્દાની વાત, કાઈના ઉપર કલંક ચઢે તેવી વાત, કાઇની પાયમાલી થઈ જાય; તેવી વાત ઇત્યાદિ વાર્તાઓને અસત્ કથા કહેવામાં આવે છે; શાસ્ત્રધારે કાઈ પણ તત્ત્વના મેધ માટે કથાએ કરવામાં આવે છે તેને સાથા કહે છે. દેવ, ગુરૂ અને ધર્મ સંબંધી જે જે કથા કરવામાં આવે છે તેને સત્કથાઓ કહે છે. માર્ગાનુસારિના ગુણે! વગેરેની પ્રાપ્તિ જેનાથી થાય એવી કથાઓને પશુ સત્કથાઓ કહેવામાં આવે છે; એવી સત્કથા કહેનારાઓ સમરત્વ પામવા યેાગ્ય થાય છે. સત્કથા કરનાર પાતના ઉચ્ચવર્તનના યાગે સુપક્ષયુક્ત અને છે, માટે હવે સુપક્ષગુણને વર્ણવે છેઃ——
१४ चौदमो सुपक्षयुक्तपणा रूपगुण.
अणुकूल धम्मसीलो - सु समायारोय परियणो जस्स ॥ एस सुपख्खो धम्मं, निरंतरायं तरइ काऊं ॥ १४ ॥
જેના પરિવાર અનુકૂળ, ધર્મશીલ અને સદાચારયુક્ત ડાય તે સુપક્ષ કહેવાય છે. તેવા પુરૂષ નિર્વિઘ્રપણે ધર્મ સાધી શકે છે.
અનુકૂળ પરિવાર, ધર્મનાં કાર્ય કરતાં ઉત્સાહ ધરાવનાર અને મદદકાર રહે છે. ધર્મ કરતાં છતાં અનુકૂળ પરિવાર, કદી વિશ્ર્વ નાખતે નથી. જેના પક્ષમાં ઘણા મનુષ્યેા હોય છે તેઓ ધર્મનાં અનેક કાર્યો કરી શકે છે અને તેઓને કાઇ વિઘ્ર નાખી શકતું નથી. સુપક્ષવાળા ધર્મનાં મહાન કાર્યો કરી શકે છે. સુપક્ષવાળા અનેક ધર્મની સંસ્થાઓને ઉભી કરી શકે છે અને લાખા મનુષ્યાને ધર્મના માર્ગે ચઢાવી શકે છે. સુપક્ષવાળા જે જે કાર્ય ઉપાડે છે તે પાર પાડી શકે છે. પક્ષવાળાની સામે પડતાં દુર્જતા પણ
For Private And Personal Use Only