________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
? રથમ સત્ર મુ.
खुद्दोत्ति अ गंभीरो, उत्ताणमई न साहए धम्म;
सपरोपयारसत्तो, अखुद्दो तेण इह जुग्गो. આ મુદ્ર એટલે અગંભીર અર્થાત ઉછાંછળી તુચ્છ બુદ્ધિવાળો જે હોય તે
ધર્મ સાધી શકે નહીં. જે અક્ષુદ્ર અર્થાત ગંભીર હોય છે તે સર્વ જેએલું - તથા દેખેલું હૃદયમાં રાખે છે, મેટું પેટ રાખે છે, અર્થાત સર્વ મનમાં રાખે છે. ગંભીર મનુષ્ય એકદમ લાભાલાભનો વિચાર કર્યા વિના જે કંઈ જેએલું વા દેખેલું હોય તત્સંબંધી બકબકાટ કરે નહીં, ગમે તેવું જાણ્યું હોય તો પણ અનર્થકારક હોય તો તે અન્યને કહે નહીં, ક્રોધ, લોભ, માન અને માયા આદિ દોષના વશ થઈ કોઈની વાત કોઈને કહી દે નહીં, તે ગંભીર ગુણવાળો સમજવો. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય કેઈના મર્મોને ઉઘાડા પાડે છે, કોઇના દેનું કથન કરે છે, તેથી તે સ્વપરનું હિત કરી શકતા નથી અને ઉછાંછળી બુદ્ધિના યોગે તે જ્યાં ત્યાં અશાતિ કરનાર થઈ પડે છે. તુ બુદ્ધિવાળો મનુષ્ય જરા વાતમાં છેડાઈ જાય છે અને તેથી સામાનાં છતાં વા
અછતાં છિ . જ્યાં ત્યાં બોલવા મંડી જાય છે. ખાનગી (ગુપ્ત) વાતોને તથા કને પણ તે ઉધાડાં પાડી દે છે તેથી તે પિતાના આત્માનું હિત કરી શકતા નથી. તુચ્છ બુદ્ધિવાળા મનુષ્ય કોણ જાણે કઈ વખતે શું કરશે તેને પણ નિશ્ચય થતો નથી.
તુચ્છ બુદ્ધિવાળો અનેક સંકટનાં વાદળાં મનરૂપ આકાશમાં ઉભાં કરે છે, તુચ્છ બુદ્ધિવાળા મનુષ્ય પિતાનું તથા પિતાના સંબંધીઓનું ભલું કરવા સમર્થ થઈ શકતો નથી. તુબુદ્ધિવાળો મનુષ્ય સંસારવ્યવહારમાં પણ પ્રતિષ્ઠા પામી શકતો નથી અને તે મનુષ્ય જગત માં ઉચ્ચ પદવીપર ચઢી શકતો નથી. તુચ્છ બુદ્ધિવાળો મનુષ્ય સર્પની પેઠે ભયંકર લાગે છે. તે પિતાના કુટુંબને પણ શાતિમાં રાખી શકતો નથી. તુછ બુદ્ધિવાળા મનુષ્ય પિતાના સંબંધીના દેષ વદીને તેની હેલના-નિન્દા કરાવે છે અને તેથી કોઈ વખતે કોઇના પ્રાણુને નાશ પણ થાય છે. તુચ્છ બુદ્ધિવાળાને કોઈ પિતાના હૃદયની ખાનગી વાત કહી શકતું નથી, અનેક દેષોને આકર્ષવાર તુચ્છ બુદ્ધિજ છે; માટે મનુષ્યોએ તુચ્છ બુદ્ધિને ખરા અંતઃકરણથી ત્યાગ કરવો જોઈએ અને ગંભીર ગુણને ધારણ કરવો જોઈએ.
For Private And Personal Use Only