________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
ગુણાનુરાગઉત્તમ ગુણનુરાગથી સર્વ પદવીઓ મળે છે.
માથા उत्तम गुणाणुराओ, निवसइ हिययंमि जस्स पुरिसस्स आतित्थयरपयाओ, न दुल्लहा तस्स रिद्धिओ _ ૨ ૫.
ભાવાર્થ-જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણનુરાગ હોય છે, તે ભવ્યાત્મા તીર્થંકરની સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરે છે; તેને કોઈ પણ પ્રકારની રૂદ્ધિઓ દુર્લભ નથી. સર્વ પ્રકારની ઉત્તમ પદવીઓનું કારણ ગુણાનુરાગ છે. કોઈ પણ પદાર્થની પ્રાપ્તિમાં તેના ઉપર થતો રાગજ પ્રથમ હેતુભૂત છે. રાગ બે પ્રકાર છે, પ્રવચન અને બીજો રાચપ/૧. અપ્રશસ્યરાગ છે તે ક્ષણિક પદાર્થોપર થાય છે. અપ્રશસ્યરાગથી આત્માની ઉન્નતિ થતી નથી. બાહ્યદુનિયાના પદાર્થો કે જે ક્ષણિક છે, તેના ઉપર, ભ્રાંતિથી પોતાના માની, રાગ ધારણ કરવાથી આત્મા પ્રતિદિન ક્રોધાદિક શત્રુઓના વશમાં પડે છે અને કર્મની વર્ગણાઓ ગ્રહણ કરે છે, રજોગુણ અને તમોગુણમાં પ્રવેશે છે, સત્ત્વગુણને પ્રાપ્ત કરી શક્તા નથી, મિથ્યાત્વભાવને ધારણ કરે છે, સુખને બદલે અપ્રશસ્યરાગથી દુઃખ પેદા કરે છે અને તેને જરા માત્ર શાંતિ મળતી નથી, માટે સ્વમ સમાન ક્ષણિક પદાર્થમાં રાગ કરવાની કંઈ જરૂર નથી.
જગતમાં સત્ય આનંદમય આત્માઓ છે. આત્માના અનંતગુણે છે. કામ ક્રોધાદિ અવગુણેને ભૂલી જઈ, જ્યાં દેખવું ત્યાં આત્માના સંતોષ, સમતા, વિવેક અને જ્ઞાન આદિ ગુણેને દેખવા. બાળક કે વૃદ્ધ હોય પણ ગમે ત્યાં ગુણ હોય તેને જેવા, ગુણને રાગ કરવાથી અવગુણુ ઉપર ચિત્ત જશે નહિ. પ્રથમ સાધક અવસ્થામાં ગુણના રાગની જરૂર છે. ગુણના રાગના ઉત્તમ સંસ્કારો પાડવાથી ફરીથી થનાર જન્મમાં તે તે ગુણે સ્વયમેવ આભામાં પ્રગટે છે. સાધને પણ ગુણાનુરાગને વધારનાર પ્રાપ્ત થાય છે. જે જે રૂદ્ધિઓ દુર્લભ હોય છે તે પણ ગુણાનુરાગીને સહેજે મળે છે. ગુણનુરાગી અન્ય ઉપર સારાભાવથી જુએ છે તેથી તેના ઉપર પણ અન્ય છો સારા ભાવથી જુએ છે, “જેવી કરણું તેવી પાર ઉતરણું,” “જેવું વાવશે તેવું લણશે.” તાત્પર્યાથે કે ગુણાનુરાગથી ઉત્તમ પદવીઓ મળે છે. જરા તે પ્રમાણે વતી જુઓ. ગુણાનુરાગીને ગ્રંથકાર સદા નમસ્કાર કરે છે.
સાથ, ते धन्ना ते पुन्ना, तेसु पणामो हविज महनिचं जेसिं गुणानुराओ, अकित्तिमो होइ अणवरयं. ॥३॥
For Private And Personal Use Only