________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૭૧
યોગ્યતા જોયા વિના હૃદયની વાત કોઈની પાસે કહેવી નહીં. સુખ દુઃખ આવે હર્ષ વા વિષાદને જ્ઞાની પુરૂષો ધારણ કરતા નથી.
સુખ દુઃખમાં સંભાવ રાખનારની બલીહારી છે, જેણે સુખમાં જીદગી ગાળી છે, તેને દુઃખનું ભાન હોતું નથી, તેથી તે ગરીબ લોકો પર પડતાં દુઃખ જાણી શકતો નથી, એવા સુખી લોકો બીજાના દુઃખની વેદના જાણવા અસમર્થ રહે છે.
દુઃખ વિના સુખની પ્રાપ્તિ નથી. જેને બાહ્ય સુખમાં ઈછા છે, તે અંતર્ સુખથી દૂર રહે છે. જેને અંતરમાં સુખની ઈચ્છા છે, તે બાહા વસ્તુમાં દુઃખજ દેખે છે.
શ્રી જીનેશ્વર ભગવાનની વાણી એજ મોક્ષ માર્ગની દીપિકા છે, બાકી પિતાની ઈચ્છા પ્રમાણે ચાલવું, કથવું, તે સર્વ અજ્ઞાન દશા છે.
આત્માના સદ્દગુણે ખીલવવા માટે મનુષ્ય જન્મ છે.
G
For Private And Personal Use Only