SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ વચનામૃત. કરવાની ટેવ પાડવી જોઇએ, પ્રથમ નહાના ન્હાના ઉપકાર કરતાં શીખવું જોઇએ, ઉપકાર કરવાની ટેવ પાડવાથી પશ્ચાત સહેજે ઉપકાર કરવાનું વલણ થાય છે. પ્રત્યેક મનુષ્યને અન્ન, વસ્ત્ર, દવા, અને જ્ઞાન આદિથી ઉપકાર કરે જોઈએ. જે મહાત્માઓએ પિતાનું જીવન ઉપકારમાં જ હેમ્યું છે તેના નામની દીવાલીઓ હાલ પ્રવર્તે છે અને જ્યાં ત્યાં તેમના અક્ષર દેહ જીવતા દેખાય છે. ખરેખર ઉપકારીજ પૂજ્ય ગણાય છે. શ્રી સિદ્ધ ભગવાનને પરમેકિમાં પ્રથમ ન ગણ્યા અને અરિહંતને ગણ્યા તેનું કારણ પણ એ છે કે અરિહતે છોના જ્ઞાનચક્ષુ ઉધાડી સિદ્ધને બતાવ્યા છે. માટે ઉપકારની અને ક્ષિાએ તે પ્રથમ પૂજાય છે. ઉપકાર કરનારનાં દેહ પૂજાય છે. તેની જન્મભૂમિ પૂજાય છે. ઉપકારીના શરીરની રાખ પણ પૂજાય છે. જગતમાં ઉપકારીજ પૂજાય છે. જે મનુષ્ય સ્વાર્થોધ બની અન્યના ઉપર ઉપકાર કરતા નથી તે અતે બહુ પશ્ચાત્તાપ પામે છે. તેમનું જીવન ઉચ્ચ થતું નથી. તીર્થ કરે કેવળજ્ઞાન પામીને પણ જગતના જીવને તારવા માટે ઉપદેશ આપે છે. અહો કેવી તેમની ઉપકારદષ્ટિ! ઉપકારદષ્ટિવાળો પુરૂષ મનના શુભ વિચારથી ઉચ્ચ સુખમય જીવન કરે છે. મનનાં પાપોને તે ધોઈ નાંખે છે. મનની ઉજવલતા કરે છે. મનને સદ્ગણેથી વાસિત કરી ઉત્તમ પરમાત્મ દશા સન્મુખ કરી અન્યના માટે દૃષ્ટાંતભૂત થાય છે. જ્યારે મનુષ્યના હૃદયમાં પરોપકાર કરવાની વૃત્તિ આવે છે ત્યારે અન્ય ગુણે પણ સ્વયમેવ આવે છે. પરેપકારી પુરૂષ કલ્પવૃક્ષાદિથી પણ અધિક છે. અન્યના દુર્ગુણોને નાશ કરે હોય તે ફક્ત સગુણદષ્ટિ ધારણ કરી પરોપકારજ કરે. પોપકારી સર્વ વર્ષમાં શ્રેષ્ઠતા ભોગવે છે. સ્વાર્થના માટે તો આખું જગત સડે છે પણ જે પરોપકાર તરફ લક્ષ રાખે છે તેને ધન્ય છે. પરોપકારીનું ક્ષણ ક્ષણનું જીવન જે જાય છે તેનું મૂલ્ય થઈ શકતું નથી. મનુષ્યથી અન્યના ભલામાં જે જે કરવામાં આવે છે તે પરોપકારમાં સમાઈ જાય છે. આ સારો છે અને આ ખે છે એમ પરોપકાર કરતી વખતે જોવાનું નથી. બોટા મનુષ્યને પણ સાર કરવો એ પરોપકાર છે, તો બોટાને ખરાબ જાણું તેનું ભલું ન કરવું તે પરોપકાર શી રીતે ગણુય? કોઇના ઉપર ઉપકાર કરવામાં આવ્યું હશે અને કઈ વખત ઉપકાર કરનાર અધમ સ્થિતિમાં આવ્યો હશે તે તે મનુષ્યો ગમે તે વખતમાં સહાય કરી ઉચ્ચ કરશે. આંબાનું ફળ વાવ્યાથી કેરીજ મળશે, સારું કરવાથી અંતે શુભ ફળ મળશે. ઉપકારનું ફળ દેવરૂપ કોઈ બાબતમાં આવે છે તેથી પશ્ચાત્તાપ કરશો નહિ. ગુણના ભાઈ દોષ. દુનિયામાં કેટપ્લાક પુરૂષ ઉપકાર કરનારના સામા થાય છે, તેથી કંઇ ઉપકારનું ફળ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy