SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) એક સ્થાનમાં અનન્તસિદ્ધ ભગવતે રહ્યા છે તેથી જાતિમાં જોતિ મળી એમ કહેવાય છે. કેઈ વિદ્વાનના હૃદયમાં, જૈનશા, વેદાંતશાઓ, બૌદ્ધશાસ્ત્ર, કુરાન, બાયબલ, નીતિશાસ્ત્રો, અનેક પ્રકારનાં વ્યવહારનાં શાસ્ત્ર અને તેના અક્ષરેન સંગ્રહ મેટે છતાં તેની છાતીમાં (હૃદયમાં) સર્વે માઈ શકે છે. જરા માત્ર પણ સંકડાશ થતી નથી; તેવી રીતે મુક્તિસ્થાનમાં અનંત સિદ્ધો ગયા અને જશે તોપણ જરામાત્ર સંકડાશપણુને વિરોધ આવતો નથી. પ્રશ્ન-મુક્તિમાં અનન્ત કર્મને ક્ષય કરી ગયા, અને જશે, ત્યારે સંસારમાંથી જ ખૂટતાં ખૂટતાં સંસારમાંથી જીવોથી ખાલી થવાને પ્રસંગ આવશે તેનું કેમ? ઉત્તર–શૂલદષ્ટિથી જોતાં એમ લાગે છે પણ સૂક્ષ્મજ્ઞાનદષ્ટિથી જોતાં મુક્તિમાં અનંત જીવો જાય તેપણું અનન્તકાળે પણ કદી સંસારમાંથી જ ખૂટશે નહીં. જેટલા છ મુક્તિમાં જાય છે તેટલા જી પરમાર્થોથી જોતાં સંસારમાંથી ખૂટે છે. પરંતુ સંસારિ જીને નિરવશેષ અસ્ત થતો નથી એટલા અનંતા એ સંસારી જીવે છે. નિરંતર વૃદ્ધિનો અભાવ છતાં અને નિરંતર સંસારમાંથી જ ખૂટતાં છતાં પણ જેને નિરવશેષ અન્ત નથી થતો તેને અનન્ત કહે છે એવી અનન્ત શબ્દની વ્યાખ્યાવાળા અનંતજી સમજવા. આ પ્રમાણે અનંતશબ્દની વ્યાખ્યાનું જ્ઞાન થતાં કઈ જાતની શંકા રહેતી નથી. આ ઉપર એકદેશીય અન્ય દષ્ટાંત આ પ્રમાણે જાણવું. કેઈ વિદ્વાન જન્મથી આરંભીને ત્રણ લોકનાં સર્વ શાસ્ત્રોનું પઠન કરો છો અને સંખ્ય વર્ષ ગાળે તો પણ તેના અશ્રાંત પાઠથી તેનું હૃદય કદાપિ શાસ્ત્રોના અક્ષરોથી પૂર્ણ થાય નહિ, અને શાસ્ત્રાક્ષ ખૂટે નહીં, તેમજ શાસ્ત્રો ખાલી થાય નહીં, તેવી જ રીતે સંસારમાંથી ગમે તેટલા ભવ્ય જીવો મુક્તિ માં જાય તોપણ મુક્તિ પૂરાય નહીં અને સંસારમાંથી અનંત એવા ભવ્યજીવો ખૂટે નહીં, અને તેથી સંસાર ખાલી થાય નહીં. ભૂતકાળના અનંતા સમય લેવા. વર્તમાનકાળનો એક સમય લે. અને ભવિષ્યકાળના અનંતા સમય લેવા. એ ત્રણનો સરવાળો કરે. કલ્પનાથી ધારે કે એકેક સમયમાં કરડે છે મુક્તિ જાય. અથવા ધારો કે એકેક સમયમાં અસંખ્ય છ મુક્તિ જાય તો પણ તેનાથી અનંતગુણું કરીએ. વળી જે સરવાળે આવે તેને અનંતગુણુ કરીએ વળી જે સરવાળે આવે તેને અનંતગુણું કરીએ એમ અનંતાને અનંતગુણું અસંખ્ય વા અનંતવાર કરીએ એટલા અનંત જી સંસારમાં છે, તેથી સમયે સમયે જીવમુક્તિ જાય તે પણ ભવિષ્યકાળના સમય For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy