SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણવાં. અને ગ્રહણ કરાતા ભેજ્યકોળીયાના જેવાં મુચનાને જ સમજવા-વિરતિ અને અવિરતિ સર્વ સંસારિ જીને સુદ-મીરા-અને મુકમાન એ ત્રણ પ્રકારનાં કર્મ હોય છે, કેવલજ્ઞાનીને બંધાતાં યૌગિક કર્મો શિલાના અગ્રભાગપર પડતા વર્ષાદના બિંદુઓ જેવાં અલ્પસ્થિતિવાળાં હોય છે. પહેલા સમયે બાંધે છે, બીજા સમયે ભગવે છે અને ત્રીજા સમયે ખેરવે છે–તેમાં પણ તે ત્રણું અવસ્થા જાણવી–અતના પહેલા સમયમાં કેવલજ્ઞાનીને ભેગ્યકર્મ હોતાં નથી. ભક્ત અને ભુજ્યમાન કર્મ હોય છે, અને અન્તસમયે તે સર્વ કર્મનો ક્ષય કરવાથી શેષ મુક્ત કર્મ હોય છે. ઈશ્વરની પ્રેરણાવિના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનાગે કર્મની ભુક્તાદિ ત્રણ અવસ્થા થાય છે. સિદ્ધ પરમાત્માને કર્મની ત્રણ દશા હોતી નથી, કારણ કે તેઓએ કર્મનો નાશ કર્યો હોય છે. અત્ર સામાન્ય સ્થલ દુષ્ટાતોથી કેટલુંક કર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે-વિશેષ જિજ્ઞાસુએ કર્મના ગ્રન્થને વિલોકવા. પ્રશ્ન–આત્માના એકેક પ્રદેશે અનંત કર્મો લાગ્યાં છે તે તેને સમૂહ, આપણું દૃષ્ટિથી કેમ દેખાતો નથી. * ઉત્તર–આપણી ચર્મચક્ષથી સૂક્ષ્મતમ કર્મો દેખી શકાતાં નથી, ચર્મચક્ષમાં તેને દેખવાની યોગ્યતા નથી. પણ વિશિષ્ટજ્ઞાનિ જ્ઞાનદષ્ટિથી દેખી શકે છે. દષ્ટાન્ત-જેમ વાસણમાં અગર વસ્ત્રમાં અગર બગીચામાં સુગંધનાં પુદ્ધ હોય છે તે નાસિકાથી જાણું શકાય છે પણ આંખોથી દેખી શકતાં નથી. વાયુ જેમ વસ્ત્રના વા વૃક્ષના અગ્રભાગને હલાવે છે તે આપણે દેખીએ છીએ પણ વાયુકાયના શરીરને દેખી શકતા નથી. પ્લેગની ખરાબ હવાથી હજારે મનુષ્યો મૃત્યુ પામે છે તેઓને આપણે દેખીએ છીએ, પણ પ્લેગની હવાને દેખી શકતા નથી. તાઢ અને તાપ આપણા શરીરને લાગે છે પણ તાઢ અને તાપના પુદ્ગલોને આપણે દેખી શકતા નથી. અન્યના મુખમાંથી નીકબેલા શબ્દો આપણે સાંભળીએ છીએ, પણ ભાષા વર્ગણુને આપણે દેખી શકતા નથી. તેવી રીતે કર્મથી થતી શાતા અને અશાતાને આપણે જાણીએ છીએ પણ કર્મ પ્રકૃતિને ચર્મચક્ષુથી દેખી શકતા નથી. વિશિષ્ટ દિવ્ય સાનિય કર્મને પણ જાણું દેખી શકે છે. પ્રશ્વ–આમાં પહેલું કે પહેલાં કર્મ...? ઉત્તર બન્ને અનાદિકાળથી છે. જે જીવને પહેલ કેઈ કહે તે આત્મા (જીવ) નિર્મલ ઠર્યો તે સિદ્ધરૂપ કર્યો તે તેને કર્મ લાગી શકે નહીં. જે પહેલાં કર્મ અને પશ્ચાત્ આત્મા કેઈ માને તો–તે પણ ઘટી શકે નહીં, કારણ કે જીવની ઉત્પત્તિ થવાથી તે કાયરૂપ ઠરે અને For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy