SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન એટલે શું? જીન એટલે કેણ? જુદા જુદા ધર્મોમાં મનાતા દેવ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન વગેરે અને જિનદેવમાં શે ભેદ છે? ઈશ્વર સૃષ્ટિક હોઈ શકે કે નહીં? જૈનધર્મની પ્રાચીનતાનાં પ્રમાણે ક્યાં છે? તથા બીજા ધર્મની કેટલીક જાણવા ગ્ય માન્યતામાં અને જૈનધર્મમાં શે ભેદ છે? જેનતની શ્રેષ્ઠતા કઈ રીતે છે? તેનું આ ગ્રન્થમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ બાલજીને પણ સમજ પડે તેવી સરળ ભાષામાં વર્ણન કરેલ છે. અમે કહી શકીએ છીએ કે આ ગ્રન્થ ભણનાર, અને વાંચનાર, ઘણું નવું જાણશે, શીખશે, અને અનુભવશે; એટલું જ નહીં પણ જૈનધર્મ વિષે જે કેટલીક ખોટી માન્યતાઓ ચાલે છે તે કેટલી અસત્ય છે તે સમજી શકશે અને બીજાઓને સમજાવી શકશે, તેમજ અન્ય મતવાળાએ આ પુસ્તકને જો ધ્યાનપૂર્વક મનન કરશે તો જૈનધર્મ વિષે અજ્ઞાનપણથી જે આક્ષેપ કરે છે તે કરવાની ભૂલ કરી શકશે નહીં. આ ગ્રન્થ, જૈન હાઈસ્કુલ, પાઠશાળાઓ, તેમજ કન્યાશાળાઓમાં ટેક્સ્ટબુક તરીકે ચલાવવામાં આવે તે ઉપગી છે. તેમજ સાધુ અને સાધ્વીઓને જે આ પુસ્તક મારફતે શરૂઆતનું જ્ઞાન આપવામાં આવે તે તેઓ પણ જૈન અને જૈનેતર ધર્મભેદને અવબોધી શકશે. આ મંડળે પ્રગટ કરવા માંડેલ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા પૈકીને આ ૧૭ મે ગ્રન્થ છે. આ ગ્રન્થ સાઠની સાલમાં રચાયે હતું તેમાં સુધારે વધારે કરી બહાર પાડ્યો છે. આ ગ્રંથ પ્રગટ કરવાને જામનગરવાલા સ્વર્ગવાસી શેઠ પ્રેમચંદ કેશવજીએ રૂ. પપ૧) ની મદદ તેઓની પતીએ કરેલ વર્ષીતપના પારણું સમયે લાલબાગમથે કરેલ અઠાઈ ઉત્સવના શુભપ્રસંગના સ્મરણાર્થે કરી છે. આવી રીતે જ્ઞાનમાર્ગને કરેલી તેઓની મદદ પ્રસંશનીય છે, કેમકે સ્વેચ્છાપૂર્વક હજાર રૂપીઆ ગમે ત્યાં ખર્ચાય પણ જ્ઞાનમાર્ગ ડું પણું દ્રવ્ય વાપરવું એજ સર્વોત્તમ માર્ગ છે. તેઓ સંબંધી કેટલીક જાણવા યોગ્ય હકીકત એક નોંધના મથાળા નીચે લેવાઈ છે તે વાંચવાને માટે વાચને વિનવીએ છિએ. મંડળ પિતાના કાર્યમાં આ રીતે આગળ વધે છે અને વધુ વધે તેવી શુભેચ્છાપૂર્વક વિરમીએ છીએ. મુંબાઈ-ચંપાગલી અશાડ સુદ ૧૫ વીરસંવત ૨૪૩૭. 6 ( લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. યાસનાનપા , For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy