SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના, Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલની પ્રવૃત્તિમય દુનીઆમાં વ્યાવહારિક કેળવણીમાં આગળ વધેલા અને ભાષાજ્ઞાનમાં ઉત્તમ કહેવાતા, એવા અભ્યાસીએ પણ પેાતાના ધર્મના ખરા સિદ્ધાંતાને જાણવા, અને તેનું રહસ્ય સમજવા પ્રયત્નવાન્ વા પ્રીતિવાન્ અન્યા હોય એમ પ્રાયઃ પરિપૂર્ણ અવમેાધાતું નથી, તેમજ માત્ર આજીવિકા અર્થેજ ઉદર પોષણ આપનારૂં જ્ઞાન સંપાદન કરવું, ખાવું, પીવું અને મેાજ કરવી તેમાંજ જીવનની સાર્થકતા માનનારા ઘણા મનુષ્યા દેખાય છે આનું કારણ શું? આ સ્થીતિને વિચાર કરતાં એમ કહેવું પડે છે કે, ધર્મજ્ઞાન, તેના સિદ્ધાન્તા, અને તેનું રહસ્ય, જાણવાની અપ્રીતિને લઈ ( તથા પ્રકારની ઓછી સામગ્રીને લઈ વા અવકાશની ખામીને લઇ), સદ્ગુરૂના સંબંધેાથી દૂર રહેવાની ટેવ વધતી જતી હોવાથી ધર્મના ઉંડા રહસ્યને સમજવું તે રહ્યું પણ કેટલીક સામાન્ય ખાતેથી પણ આપણે અજ્ઞાત રહીએ છીએ. તેમ થવાથી આપણે અને ઉત્તરોત્તર આપણા બાળકા ધર્મશ્રદ્ધાહીન થતા જઈએ તે સંભવિત છે. સુવર્ણ અને રૂપાની પરીક્ષા કરવાની કડાકુટમાં ન પડતાં એકજ માનવું એ જેટલું ભૂલભર્યું છે તેટલુંજ ધર્મસિદ્ધાંતા જાણવામાં કડાકુટ સમજી સત્ય જાણવાથી દૂર રહેનારાએ પેાતાના જીવનને ગમે તેવી ડામાડોળ સ્થિતિમાં રાખે તે કનિષ્ઠમાં કનિષ્ઠ છે અર્થાત્ નુકસાનકત્તા છે. જૈનધર્મ અને જૈનેતરધર્મો વચ્ચે શું અંતર છે? કઈ બાબતમાં જુદાઈ છે? જૈનધર્મ વિશેષ ઉત્તમ શામાટે છે? ધર્મનું ખરૂં રહસ્ય શું છે? આપણું કર્ત્તવ્ય શું છે? એનું જ્ઞાન બાળપણથીજ આપણાં બાળકોને મળવું આવશ્યક છે, કેમકે, તેમ થવાથી દુનીઆમાં ગમે તે ધર્મવાળા સાથે ભેળાવા છતાં આપણા જૈનબંધુઓ પેાતાના ધર્મથી ડગી શકશે નહીં એટલુંજ નહિ પણ તે સર્વે ધર્મવાળાઓ સાથે પ્રીતિ રાખવા સાથે પેાતાના ધર્મનું ખરું રહસ્ય બીજાને સમજાવી તેને જૈનધર્મમાં લાવી શકશે. શ્રીમદ્ મુદ્ધિસાગરજીએ આ “તત્ત્વજ્ઞાનદીપિકા” ગ્રન્થ ખાસ કરીને વિદ્યાર્થીએ ધર્મને લગતી મમતા સમજી શકે અને તેઓને માટે માટી ઉમરે કામ લાગે તેમજ તેવી ખાખતા જાણવા કાઈ પુરતુંજમાનાને અનુસરતું-સાધન ન હોવાથી તે પુરૂં પાડવા માટે ઉત્તમ શૈલીમાં તૈયાર કરી સમાજ ઉપર ઉપકાર કર્યાં છે. જે ગ્રન્થ મંડળને પ્રગટ કરતાં હર્ષ ઉપજે છે. For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy