SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ). એકાંતે ઘણું મૂર્ખ કહે અને માને તેજ સત્ય કહી શકાય? અલબત નહીં– યુતિ પ્રમાણથી જે સિદ્ધાન્ત સિદ્ધ કરે તે માનવો જોઈએ–જગતને બનાવનાર ઈશ્વર નથી એમ અનેક યુક્તિ પ્રમાણેથી સિદ્ધિ થાય છે માટે ઈશ્વર, આ દુનિયાને બનાવનાર નથી એમ સિદ્ધ કર્યું. પ્રશ્નઘણું વર્ષથી જગતને બનાવનાર ઈશ્વર છે એમ માનવામાં આવે છે તેને ત્યાગ કેમ કરી શકાય? ઉત્તર-હા. અલબત કરી શકાય! ખરાબ વૃત્તિ તથા અજ્ઞાનને ઘણું વર્ષથી આપણે સેવતા આવ્યા છીએ તે પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં અજ્ઞાનને ત્યાગ કરીએ છીએ તથા ખરાબ વૃત્તિ અને કુઆચરણેને ત્યાગ કરીએ છીએ, તેવી રીતે ખોટી માન્યતાને પણ સત્ય જ્ઞાન થતાં ત્યાગ કરે જોઈએ અને સત્ય માન્યતાને સ્વીકાર કરે જોઈએ—એ શિષ્ટ પુરૂષને આચાર છે. પ્રશ્ન–જગકર્તા ઈશ્વર કઈ પણ યુક્તિથી શું સિદ્ધ થતો જ નથી. ઉત્તર–જગકર્તા–ઈશ્વર કઈ પણ યુક્તિથી સિદ્ધ કરતે નથીકર્તા વાદીને પ્રશ્નકે તમે સ્વભાવથી ઈશ્વરને જગતને કર્તા માને છે કે વિભાવથી? ઉત્પાદક શક્તિ અને પ્રલય શક્તિ એ બે શક્તિ ઈશ્વરમાં સ્વભાવથી છે વા વિભાવથી છે; જે ઈશ્વરમાં જગત કરવાનો સ્વભાવ નિત્ય હોય તે ક્ષણે ક્ષણે જગત બનાવવારૂપ કાર્ય કરવાને અને કદી પણ તે વિશ્રામ લેશે નહિ એ તમારા મતમાં દેષ આવે છે–જે વિભાવથી જગતને કર્તા ઈશ્વર માનશે તે વિભાવરૂપ ઉપાધિવાળો ઈશ્વર ઠરવાથી ઈશ્વરની ઈશ્વરતા ટળી ગઈબીજ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેશો કે–પરમાત્મામાં પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળી એવી ઉત્પાદક અને પ્રલય કર્તૃત્વ શક્તિ રહી છે. આમ પણ તમારાથી કહેવાશે નહીં. બ્રહ્મસૂત્રમાં નૈર્િ એ સૂત્રથી બે વિરૂદ્ધ ધર્મો એક પદાર્થમાં રહી શકે નહીં એમ જૈનોનું ખંડન કરવા લખેલું સૂત્ર તમારે માન્ય કરવું પડશે–તેમજ જ્યારે એક ક્ષણમાં સાથે રહેનારી ઈશ્વરની ઉત્પાદકશક્તિ જગત્ રચવા માંડશે કે તુર્ત તેજ ક્ષણમાં પ્રલય કરનારી શક્તિ જગતને નાશ કરી શકશે તેથી જગત ઉત્પન્ન થશેજ નહીં-દરેક શક્તિ ક્ષણે ક્ષણે પોતાનું કાર્ય કરતી જાય છે. તમે એમ કહેશે કેઈશ્વરમાં પણ છવારા કરવાિ સ્વભાવથી છે જેમ મનુષ્યમાં બોલવાની તથા ચૂપ રહેવાની શક્તિ સ્વભાવથી છે તેમ સમજવું–ઈશ્વરકર્તા વાદિને આ પણ ઉત્તર સત્ય નથી–મનુષ્યનું દૃષ્ટાંત આપ્યું તે પણ યુક્તિયુક્ત નથી. કારણ કે મનુષ્ય કારણથી બોલે For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy