________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર–શકેવલજ્ઞાની તીર્થકરને કથિત જૈનધર્મ ખરે છે–જે કે પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીના વખતમાં વેદધર્મ ચાલતો હતો તેથી તે કંઈ તીર્થકર પ્રરૂપિત જૈનધર્મની પેઠે સત્ય કરી શકે નહીં– જૈનધર્મમાં જેવું તત્ત્વોનું સ્વરૂપ જોવામાં આવે છે તેવું વેદમાં તત્તનું સ્વરૂપ નથી–જૈનધર્મમાં દરેક પદાર્થોનું સ્વરૂપ સ્યાદ્વાદરૂપે કહેવામાં આવ્યું છે–તેથી તે તે પદાર્થોના જોનાર સર્વજ્ઞ ઠરે છે–ગુરૂગમપૂર્વક જિનોનાં કથિત તત્ત્વોને અભ્યાસ કરવામાં આવે તે જૈનતની સત્યતા સૂર્યની પેઠે પ્રકાશે છે.
પ્રશ્ન-હાલમાં જૈનેની ચૌદ લાખની પ્રાયઃ સંખ્યા છે–અને વેદધર્મ પાળનારાઓની સંખ્યા લગભગ વીશ કરોડના આશરે છેજૈનધર્મ, સત્ય હોય તે જૈનેની સંખ્યા કરેડની હોવી જોઈએ–વીશ કરોડના આશરે તો વેદધર્મ પાળનારાઓ છે તેથી જૈનધમૅની સત્યતાવિશે સમાધાન આપવું જોઈએ.
ઉત્તર–શ્રી મહાવીરસ્વામીના સમય લગભગમાં ચાલીશ કરોડ લગભગ જૈનોની સંખ્યા હતી. અને તે વખતમાં અઢાર દેશના રાજાઓ ઉપરાંત ઘણુ રાજાઓ જૈનધર્મ પાળનારા હતા–તે વખતમાં વેદધર્મ માનનારાઓની સંખ્યા ઘણીજ ચેડી હતી–પાછળથી શંકરાચાર્યોના સમયમાં વેદધર્મ માનનારાઓનું જોર વધવાથી વેદધર્મ માનનારાઓની સંખ્યામાં વધારો થતાં થતાં હાલમાં વીશ કરેડ લગભગની સંખ્યા પ્રાયઃ–દેખાય છે-બૌદ્ધધર્મ માનનારાઓની સંખ્યા ૪૮ અડતાલીશ કરોડ લગભગની છે તેથી વિશેષ સંખ્યા ઉપરથી જ ખરા ધર્મનું અનુમાન કરવામાં આવે તો બૌદ્ધોના ધર્મની સત્યતા ઠરી શકે પણ તેમ તે માનવામાં આવતું નથી-ખ્રિસ્તીધર્મ માનનારા અને મોહોમેદેનેની સંખ્યા પણ કરેના પ્રમાણમાં છે તેથી તેઓના ધર્મની સત્યતા પણ માનવી જોઈએ, પણ તેમ નથી–તેથી એવા અનુમાન ઉપર ન આવવું કે જે ધર્મ માનનારની સંખ્યા વિશેષ હેય તેઓને ધર્મ ખરે હોય? આના કરતાં અનાર્યોની સંખ્યા વિશેષ પ્રમાણમાં છે તેથી અનાર્યોને ધર્મ ખરે છે એમ અનાવિના અન્ય કાણું કહી શકે? એમ. એ. કરતાં પહેલી ચોપડીનો અભ્યાસ કરનારની સંખ્યા ઘણી મોટી છે તેથી પહેલી ચોપડીવાળાની માન્યતા ખરી અને–એમએ-ઉપાધિવાળાની માન્યતા ખેટી એમ કહી શકાય જ નહિ–સુવર્ણ કરતાં પત્થરા અને લેટું ઘણું પ્રમાણમાં છે– માછલાં કરતાં મનુષ્ય બહુ થોડાં છે તેથી કંઈ બહુ પ્રમાણમાં જેઓની સંખ્યા હોય તે ખરા
For Private And Personal Use Only