________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨ [૨] દાન ભોગ નાશસ્તિો , ગત ભવન્તિ વિત્તસ્ય
પડિલેહણું કરેલા વસ્ત્રો, પડિલેહણ નહિ કરેલા વસ્ત્રો સાથે ભેગા થાય તો ફરી દરેકનું પડિલેહણ કરવું જોઈએ.
કામળીનું પડ જુદું કરીને બન્નેનું જુદું જુદુ પડિલેહણ કરવું જોઈએ. કામળીના જોટાને પણ સીંગળ કરીને પડિલેહણ કરવું જોઈએ.
(૩૩) દેવદર્શન, આહાર, નિહાર, વિહાર, ભાવું, અને વિદ્યાઆ છે કારણે ઉપાશ્રય બહાર જવાય.
(૩૪) ઉત્સર્ગમાર્ગે આહાર-નિહાર અને વિહાર ત્રીજા પહેરમાં બતાવેલ છે.
(૩૫) સૂર્યોદય પછી વિહાર કરવો તે હિતકારી છે. સૂર્યોદય પહેલાં વિહાર કરવામાં ઈર્યાસમિતિનું પાલન થાય નહિ, સૂર્યાસ્ત પછી વિહાર કરવામાં ઈર્યાસમિતિનું પાલન થાય નહિ, જ્યાં જયણા નથી ત્યાં મિથ્યાત્વ હોય છે.
(૩૬) કારણ વિના પહેલા પહોરમાં ગૌચરી અને ઈંડિલ જવામાં અને વિહાર કરવામાં વધારે દોષ, બીજા પહેરમાં ઓછો દોષ, ત્રીજા પહોરમાં શુદ્ધિ વધારે અને ચોથા પહોરમાં પણ દોષ લાગે.
થંડા પહેરમાં જવાને ઉપદ્રવ વધારે હોય છે, તેમજ કાળ વખતે અપકાયના જીવોની પણ વિરાધના થાય, માટે બને ત્યાં સુધી કાળ વખતે બહાર નીકળવું નહિ.
(૩૭) ગાઢ કારણે કાળ વખતે અને વર્ષાદ વખતે ખૂલ્લા આકાશમાં લઈ ગયેલા કાંબળી-તરપણુ-કાચલી વિગેરે એક બાજુ ધીરે ધીરે મુકી દેવા જોઈએ, અને પોતાની મેળે સુકાઈ જાય ત્યાર પછી જ તે ઉપયોગમાં લઈ શકાય, અને કાળ વખતે લઈ ગયેલા કાંબળીની ૪૮ મિનિટ પછી ઘડી વાળી શકાય, તેના પહેલા ઘડી વાળે તે અપૂકાય અને ત્રસકાયની વિરાધના થવાનો સંભવ છે.
કાળ વખતે ખુલ્લા આકાશમાં કપડાં સુકાવાય નહિ. સુકવેલા કપડાઓના છેડાઓથી વાયુ વડે ઝાપટ લાગે નહિં તે ધ્યાનમાં રાખવું. તડકામાં કપડાં સુકવાય નહિ.
For Private And Personal Use Only