________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
જેના નિર્મળ સંયમે જગતમાં જોતિ પ્રસારી અહા ! કીર્તિકાનન કેશરી પ્રખરને વિદ્વાન જ્ઞાની મહા ! જેની લેખીનીએ લખ્યા અણમુલા ગ્રથ સુજ્ઞાને ભર્યા! જ્ઞાની ! અંતર સદ્દગુરૂ નિવસો શ્રી બુદ્ધિસાગર સદા !
પાદરાકર.
-- 02
SS A A
પt
'
સસૌદર્ય વિભૂષિત, સાહિત્ય સાગરના તરલ તરંગ ઉછાળનાર, પદલાલિત્યના પરમ પ્રેમભર્યા પરાગ પરિમલથી વિશ્વને વિમુગ્ધ બનાવી દેનાર, ભવ્ય જનોને રસભર કથામૃતના પાન સાથે જ સદ્દજ્ઞાનની ગુટિકાનું
સેવન કરાવનાર, શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય શ્રીલમ
* ણ ગણિજી વિરચિત શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના સરળ અને સુન્દર અનુવાદના પ્રથમ વિભાગની પ્રસ્તાવના છ માસપર જ્યારે મેં લખી ત્યારે કલ્પના ન હતી કે બીજો ભાગ પણ પ્રસ્તાવના માટે મારી પાસે આવશે. વ્યવસાયી અને સાહિત્ય સેવાના છંદવાળો હુંજ આ પુસ્તક પ્રકાશનના વિલંબને કારણભૂત બન્યો ? ભાવનગર ગુર્જર સાહિત્ય પરિષદ્દ પછી તુર્તજ જૈન સાહિત્ય પરિષદ્ ભરવાના કાર્યમાં ડૂબેલો અને તત્પશ્ચાત તેનો રિપોર્ટ તૈયાર કરવામાં ગુંથાયેલ મને આચાર્ય શ્રી અછતસાગર સૂરિજીએ ઘણો ટોક્યો છતાં ઉતાવળે હું નજ આ કામ ઉકેલી શકે–અને તેથી આજે મેડે મોડે વાંચના કરકમળમાં આવું છું. આવી સુન્દર કૃતિના રસમંદિર પર-હારે મારું કથનટાંકણું મૃદુતાથીજ ફેરવવું પડે તેમાં અવનવા રંગે પૂરવા મારી પીંછી આસ્તેથીજ ચલાવવી પડે એ જ્ઞાત છેજ કે રખેને હું મૂળ વસ્તુને વિરૂપ ન કરી બેસું.
For Private And Personal Use Only