SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મદનવણિફ કથા. (૪૧૭) બેલવામાં વાચાલ, વેશ્યા તથા જુગારમાં આસક્ત અને બહુ નિર્દય હતે, હવે તે એક દિવસ કુલ મર્યાદાને ત્યાગ કરીને મદ્યપાન કરી પોતાને ઘેર આવ્યા. તે વખતે ત્યાં એ પ્રસંગ બન્યું હતું કે તેની સ્ત્રી કે કાર્ય માટે પોતાના પિતાને ત્યાં ગઈ હતી અને તે હને કહેતી ગઈ હતી કે તમ્હારા ભાઈ ઘેર આવે ત્યાં સુધી તહારે અમારા ઘેરથી જવું નહીં, તેથી હું ત્યાં સુતી હતી. તેટલામાં કામાતુર થઈ તે મહારી પાસે આવ્યું અને પોતાની સ્ત્રી જા ને દઢ આલિંગન કરી મહને વળગે, એટલે તરતજ હું બોલી, હે બાંધવ! હું હારી સ્ત્રી નથી, પરંતુ હું તે હારી વ્હેન છું. એમ સાંભળી કામવાસના ઘર થવાથી તે પણ શરમાઈને નાશી ગયે. ત્યારબાદ હારું શીલરૂપી જીવિત નષ્ટ થવાથી મરણને નિશ્ચય કરી પૃપાપાત કરવા માટે ઘરની અગાશી ઉપર હું ચડી, તેટલામાં આકાશમાર્ગે જતા એક ચારણશ્રમણ મુનિના મહને દર્શન થયાં. અને તે મુનીંપણ મને જોઈને હારી પાસે આવ્યા, એટલે મોં પણ તેમના ચરણકમલમાં નમસ્કાર કર્યો. મુનિએ પણ ધર્મલાભ આપી મહને પૂછયું કે હે ભદ્ર! હારૂં મુખ નિસ્તેજ કેમ દેખાય છે? ફરીથી નમસ્કાર કરી હું બોલી, આ ૫ સદ્ગુરૂ છે માટે આપની આગળ પિતાનું દુશ્ચરિત્ર મહારે કહેવું જોઈએ, કારણકે તેથી પાપની શુદ્ધિ થાય. એમ કહી તેમની આગળ સર્વ વૃત્તાંત મહેં નિવેદન કર્યું. ત્યારે મુનીંદ્ર બેલ્યા, હે ભદ્ર! ખરેખર આ કાર્યમાં ત્યારે લેશમાત્ર પણ દોષ નથી, પરંતુ જીનેંદ્રભગવાનનું વચન જાણ્યા છતાં પણ તું મરવાને તૈયાર થઈ તે ત્યારે દોષ ગણાય. કારણે આત્મઘાતકોએ સર્વશાસ્ત્રોમાં મહાપાપ ગણેલું છે, તે સાંભળી હું બોલી, હેગુરૂ મહારાજ! જે આપનું દર્શન અત્યારે મહને ન થયું હોત તે આ સમયે જરૂર હારૂં મરણ થવાનું હતું. ત્યારબાદ મરણના અધ્યવસાયની ૨૭ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy