________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસ્મૃતિ આત્માને તે સ્મરણ કરતાં મોહ આવે ન પાસે, આત્માને તે સ્મરણ કરતાં ભંગ તે રોગ ભાસે; આત્માને તે સમરણ કરતાં ભેગની જાય વૃત્તિ, આત્માને તે સ્મરણ કરતાં કામની જાય શક્તિ. ૪૨૪ આત્માને તે સ્મરણ કરતાં કામવૃત્તિ ન થાવે,. આત્માને તે સ્મરણ કરતાં મોહ તે ને નચાવે; આત્માને તે સ્મરણ કરતાં પૂર્ણ વૈરાગ્ય આવે, આત્માને તે સ્મરણ કરતાં કામ્યા ન ભાવે. ૪૨૫ આત્માનું તું સમરણ કરીને ચાલજે ધર્મ વાટે, આત્માનું તું સ્મરણ કરીને બેસજે જ્ઞાની હાટે, આત્માનું તું સમરણ કરીને મુક્તિની પામ ચાવી, આત્માનું તું સ્મરણ કરીને મહિને દે હરાવી. ૨૬ આત્મારામી સતત થઈને સત્ય વૈરાગ્ય ધારે, આત્મારામી સતત થઈને આયુ એળે ન હારે આત્મારામી સતત થઈને ચેતજે વહેતી વાટે, આત્મારામી સતત થઈજા મુક્તિ છે શીર્ષ સાટે. ૨૭
www.kobatirth.org
For Private And Personal Use Only