________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્રે તે સંબધી ઉલેખ અસ્થાને જ ગણાય છતએ વાંચને એટલું તે કહી દેવા વિના નથી જ ચાલતુ કે જે અધ્યાત્મજ્ઞાનપર, શુદ્ધક્રિયાપર, પ્રભુભક્તિ અને વૈરાગ્યપર પ્રેમભાવ હોય તે તેવા ભવ્યાત્માને તે આ સ્તવન સંગ્રહ અમૃતથી પણ અધિક મિષ્ટ અને ઉપકારી થઈ પડશેજ.
દેવવંદનની પવિત્રક્રિયામાં આપણે જે જે વિધિ કરીએ છીએ તથા જે જે સ્તવનો સ્તુતિઓ ચૈત્યવંદને કહીએ છીએ તે તમામ આમાં ક્રિયાવિધિ સહિત વિસ્તારપૂર્વક આપવામાં આવ્યાં છે. વળી વિશેષમાં આમાં શ્રીમદ્ આનંદઘનજી શ્રી ચિદાનંદજી શ્રી દેવચંદ છે. શ્રી પદ્યવિજયજી આદિ પૂર્વ પુરૂષના જ્ઞાનનાં ઝલકારા તથા આત્મજ્ઞાનની છાંટય જણાશે તે ખપી જીવોએ અવશ્ય આ ગ્રંથનો ભક્તિભાવપૂર્વક ઉપયોગ કરવામાં પ્રમાદ ન કરવો ઘટે.
આ મંડળ પાસે સ્થાયી ફંડ હતું નહી ને પણ નહીં. માત્ર ગુરૂભક્ત જ્ઞાન રૂચિવંત ઉદાર બંધુઓ અને બહેનોની ઉદારતાએજ આ માળા નિભાવી છે. તેવી જ રીતે ભવિષ્યમાં પણ નિભાવવા વિનવી આ ગ્રંથ સૌના કલ્યાણને અર્થે હે એમ ઇચ્છી વિરમીએ છીએ આ ગ્રંથના કુફ સુધારવા માટે પ્રસિદ્ધવક્તા આચાર્ય શ્રી અજીતસાગરસૂરિજીએ તેમજ સંધવી કેશવલાલ નાગજીએ ઘણી જ ઉપયોગી સહાય કરી છે. જેમનો અંતઃકરણપૂર્વક આભાર માની વિરમીએ છીએ. ૩૪ શ્રી ગુર નમ: શાંતિઃ ૨
સાણ | શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સં. ૧૯૮૧ના આ સુદિ ૨૬ હા. ગાંધી આત્મારામ ખેમચંદ,
For Private And Personal Use Only