SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસત્ય પ્રરૂપણ કરી શકે. અને દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવ પૂર્વક શ્રાતાને અધિકારતપાસ્યા વિના ઉપદેશ આપે અને તેથી પિતાને તથા શ્રોતાને લાભ થઈ શકે નહીં માટે ગીતાર્થ ગુરૂ પાસેથી જ ઉપદેશ સાંભળ. ઉપદેશ સાંભળ્યા બાદ અણુવ્રતના ભેદનું જ્ઞાન કરે. શ્રાવકવ્રતના ભંગનું જ્ઞાન કરે. પ્રથમવત સાંભળનારને પહેલું મહાવ્રતનું સ્વરૂપ બતાવવામાં આવે છે ત્યાર બાદ તેને સ્વીકારી શકે તે અણુવ્રતનું સ્વરૂપ કહે. વામાં આવે છે. યતિવ્રત લેવામાં અસમર્થને સાધુએ શ્રાવકવ્રતની દેશના દેવી. શ્રાવકે વ્રતોનું ગુરૂગમ પૂર્વક સક્ષ્મ જ્ઞાન કરવું. બારવ્રતનું સામાન્ય અને વિશેષ પ્રકારે સ્વરૂપ સમજવું. બાર વ્રતના નામ નીચે મુજબ જાણવાં. १ स्थूलप्राणातिपात विरमण-२ स्थूलमृषावादविरमण-३ स्थूल अदत्तादान विरमण-४ स्वदारा संतोष अने परस्त्रीविरमण व्रत-५ परिग्रह परिमाण-६ दि. क् परिमाण-७ भोगोपभोगविरमणव्रत-८ अनर्थदण्डविरमण व्रत-९ सामायिक व्रत-१० देशावगाशिकवत-११ पौषधोपवासव्रत-१२ अतिथीसंविभागवतપહેલાં પાંચ અણુવ્રત–પશ્ચાત ત્રણગુણવ્રત અને છેવટના ચાર શિક્ષાવ્રત જાણવાં. એ બારવ્રતનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથ ગીરવતા થાય, માટે અત્ર વિશેષતઃ સ્વરૂપે વર્ણવ્યું નથી. વિશેષ જિજ્ઞાસુએ ગુરૂ પાસેથી બારેવતનું સ્વરૂપ ધારવું એ બારવ્રતને ગુરૂની પાસે ટુંકા વખત માટે અથવા યાવજછવ પર્વત શ્રાવક અંગીકાર કરે છે. કપટી પુરૂષને ગુરૂએ વ્રત આપવાં નહિ, કદાચ છદ્મસ્થપણુથી શઠ૫ણું નહીં ઓળખાવાથી ગુરૂ તેને વૃત આપે છતાં ગુરૂ નિર્દોષ ગણાશે. કેમકે ગુરૂના પરિણામ શુદ્ધ છે. શુભ આશયથી કાર્ય કરવાથી દોષ લાગતો નથી.-પરિણામ છતાં પણ ગુરૂ પાસે વ્રત લેવાથી વ્રત પાલનની દ્રઢતા થાય છે. રેગ અને ઉપસર્ગો આવી પડતાં પણ શ્રાવક ગ્રહત્ર વ્રતને બરાબર પાળે છે. દિવ્ય, માનુષ્ય, તિર્યક અને આત્મસંવેદની, ઉપસર્ગો પ્રત્યેક ચાર ચાર પ્રકારનાં છે. ચારને ચારે ગુણતાં ઉપસર્ગના સોળ ભેદ થાય છે, હાસ્ય, પ્રદેશ, ઇર્ષ્યા અને માયા એ ચાર ભેદે દિવ્ય ઉપસર્ગ જાણવા,હાસ્ય, પ્રદેષ, ઇર્ષ્યા અને કુશળ પ્રતિસેવના એ ચાર ભેદે મનુષ્યના ઉપસર્ગો જાણવા. ભયથી, દ્વેષથી, ભોજનાWત્વથી અને બચ્ચાં તથા સ્થાનને રાખવાના હેતુથી એ ચાર પ્રકારે તિયના ઉપસર્ગો જાણવા. કામદેવની માફક અનેક પ્રકારના ઉપસર્ગો આ વતાં છતાં પણ અડગ રહીને ભાવ આવક ગ્રહીત વતોને પાળે છે. For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy