________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યપનિષ
શિષ્ય થાય છે તે ગુરૂના પર સર્વ સ્વાર્પણ કરી શકતું નથી. ગુર્વાજ્ઞા નહીં પાળનારાઓએ ગુરૂના હૃદયની હાય લાગે છે તેથી તેઓને કરણ પ્રમાણે
આ ભવમાં જ ફળ મળ્યા વિના રહેતું નથી. શિષ્યનું નામ ધરાવ્યા બાદ પિતાને ન ગમે તે પણ ગુરૂને દેવ સમાન માની તેઓની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આત્મકલ્યાણ થવાનું છે એવી શ્રદ્ધા ધારણ કરી ગુરૂ સાથે વર્તે છે તેઓ આ ભવમાં સર્વથા સુખી થાય છે. ગુરૂની આજ્ઞાને નિષેધક કોઈ મહાન બની શકતા નથી, અને કદાપિ કાળે કોઈ મુક્તિ પ્રાપ્ત કરી શકતે નથી. ઉત્તમકુલવંશી શિષ્ય ગુરૂની આજ્ઞા પ્રમાણે ન વર્તાયુ હોય તે ગુરૂપાસે પ્રાયશ્ચિત લેઈ શુદ્ધ થાય છે અને ગુરૂની પ્રસન્નતા મેળવવા આત્માને ભેગ આપવો પડે છે તે પણ તે આપે છે. ગુરૂની પ્રસન્નતા મેળવ્યા વિના એક શ્વાસોચ્છવાસ પણ તે લઈ શકતા નથી. ગુરૂના ચરણમાં મસ્તક ઝુકાવીને ગુરૂ સામે બે હાથ જોડીને ઉત્તમ શિષ્ય ભકિતભાવથી ગુરૂની આજ્ઞા લઈ કર્તવ્ય કાર્યો કરે છે તેઓ ગુરૂ સાક્ષાત ન હોય તે તેમની મૂર્તિ છબીનું ધ્યાન પૂજન કરીને ગુરૂ આજ્ઞા માગી પ્રવર્તે છે પરંતુ આજ્ઞાની વિરાધના કરતા નથી. કુપાત્રશિષ્ય ગુરૂની આંતરડી ઠારીને ડુંટીથી તેમની આશીષ લેવા ભાગ્યશાળી બનતા નથી. ઉલટ ગુજ્ઞાનિષેધક બની ગુરૂની આંતરડી કકળાવી પરમાત્મપદથી વિમુખ થાય છે.
मुशिष्यनुं लक्षण दर्शावे छे. ७३ सर्वदासर्वथा गुरुविचारप्रवृत्यनुकुल: સર્વદા સર્વ પ્રકારે ગુરૂના વિચારે અને તેઓની પ્રવૃત્તિના અનુકુલ જે વર્તે છે તે શિષ્ય છે. ગુરૂના વિચારે અર્થાત ગુરૂનું જ્ઞાન અને ગુરૂની ક્લિાઓ અને ગુરૂનાં કાર્યોમાં જે અનુકુલ પ્રવૃત્તિ કરે છે અને સર્વદા સર્વથા પ્રતિકુળતાને ત્યાગ કરે છે તે શિષ્ય સ્વગુરૂની પ્રભાવના કરી શકે છે. ગુરૂના વિચારે જેને ગમતા નથી તે ગુરૂને આત્મા બની શકતા નથી. તથા ગુરૂના આચારે જેને ગમતા નથી તે ગુરૂને આત્મસ્વરૂપ બની શકતો નથી. ગુરૂના અનંતવિચારે અને તેમની સર્વ પ્રવૃત્તિને જે સ્વવિચાર પ્રવૃત્તિપણે પરિણાવે છે તે ગુરૂને શિષ્ય બની શકે છે. ગુરૂના વિચારે અને આચારે ભૂતકાલમાં જે જે થયા, વર્તમાનમાં જે જે થાય છે અને ભવિષ્યમાં જે જે આચારે વિચારે થશે, તે સર્વે આત્મસ્વરૂપ છે. ધર્મસ્વરૂપ છે એમ
For Private And Personal Use Only