________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) આત્મામાંજ સુખ છે, ત્યાં છે, તમારા અન્તસ્માં ચિદાનંદ આનંદઘન અને મહાવીરના સગુણ ભર્યા છે. સગુણ ખીલવ્યા ખીલે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રવીર્યાદિ અનંત ગુણનો ભંડાર આત્મા છે. આત્મજ્ઞાન થતાં ભ્રાંતિ ટળશે અને તમારી ઋદ્ધિ તમને મળશે.
હે પ્યારા, ચિતન્ય શક્તિના અધિષ્ઠાતાએ, તમે સર્વત્ર શુદ્ધ ભાવનાથી દેખ્યા કરે, તમારી શુદ્ધ ભાવના અલ્પ સમયમાં તમને પરમાત્મ દર્શન કરાવશે, પોતે મૂળ સ્વભાવે આત્મા શુદ્ધ છે તેવો પ્રગટપણે થાય એમાં શું આ- . શર્યું છે ? આશ્ચર્ય તો એ છે કે, પોતે ચેતન છતાં જડ વસ્તુને સંગી થઈ પિતાનું ભાન ભૂલ્ય, પિતાના સ્વરૂપનું જ્ઞાન થતાં જડ વસ્તુથી આત્મા ભિન્ન થાય તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. અનંત છે જ કર્મને દૂર કરી શુદ્ધ સ્વરૂપી થયા છે અને તેમ આપણે પણ થઈ શકીએ.
શુદ્ધ ભાવના અને અશુદ્ધ ભાવના એ બે ભાવનામાંથી ગમે તે પ્રકારની ભાવના એ ભાવી શકો, વિષ અને અમૃત બે પાસે છે. બેમાંથી ગમે તે તમે પી શકે. તમારૂ આત્મબળ જે જે અંશે ઉત્પન્ન થયું છે તેને તમે ધારે તે સારી અને બેટી ભાવનામાં વાપરી શકે. ઈન્દ્ર
www.kobatirth.org
For Private And Personal Use Only