________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) કાર્ય કરતાં પણ સર્વ છે મારા આત્મસમાન છે, માટે તે મારા ચિતન્યશક્તિથી સમાન જાતીય બંધુઓ છે, એ ઉચ્ચભાવ ધારણ કરો. ખરેખર પરમાત્માની સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરવાનો આ સરળ ઉપાય છે –
હે મિત્રો ! ! તમે જગતને જેવી દષ્ટિથી દેખશે. તેવું તે દેખાશે, શાકવાળા પુરૂષને શેકવૃત્તિથી જગતશાકમય ભાસે છે, વિરહીણી સ્ત્રીને વિરહવૃત્તિથી જગત, વિરહમય લાગે છે. ક્ષણિક વૃત્તિની ભાવનાથી જગત ક્ષણિક લાગે છે, જેવી વૃત્તિ તેવું જગત ભાસે છે. જેવી દૃષ્ટિ તેવું જગત દેખાય છે, ધંતુરો પીનારને જગત પીળું ભાસે છે, નિર્મળ આંખવાળાને જેવું જગત હોય છે તેવું ભાસે છે, લાલ, ઉદાં, પીળાં, આદિ ઉપાધિવાળાં ચશમાંથી દેખતાં પદાર્થને ભાસ પણ ઉપાધિમિશ્રિત થાય છે, તેમ રાગ અને દેષાદિ ઉપાધિથી દેખનારને છ પણ ઉપાધિમિશ્રિત દેખાય છે, માટે સમતાભાવ ધારણ કરી શુદ્ધનિશ્ચયનયની દૃષ્ટિથી સર્વ પદાર્થોનું સ્વરૂપ જોશો તો જેવા પદાર્થ હશે તેવા દેખાશે, તેમ જગતજી પણ સર્વ નિર્મલ દેખાશે, અને તેથી રાગદ્વેષની ઉપાધિનો નાશ થશે અને અંતે કેવલજ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરી સચ્ચિદાનંદ
પદાર્થને
ધિ દે
વ
ધારણ
કરવા
પર
www.kobatirth.org
For Private And Personal Use Only