________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુની પ્રાપ્તિ ના કરી હોય ત્યાં સુધી વાચિક જ્ઞાન જાણવું. શુષ્કજ્ઞાનથી આત્મહિત થઈ શકતું નથી. ઘણુ મનુષ્ય તત્વજ્ઞાન વિના ગેખણપટ્ટીમાં સ્વઆયુષ્ય વ્યતીત કરે છે, ઘણુ મનુષ્ય આજીવિકા માટે કર્મગ્રંથાદિક ભણ્યાને સાર સમજે છે પણ આત્માથી પુરૂષોતે કર્મગ્રંથથી કર્મનું સ્વરૂપ જાણું સ્વસ્વભાવમાં રમે છે અને પરસ્વભાવને ત્યાગ કરે છે, અને તેથી આસવને ત્યાગ કરી સંવરનું અવલંબન કરે છે અને બાંધેલાં કર્મને નિર્ભર છે. ધર્મધ્યાનને અને શુકલ ધ્યાનને ધ્યાતાજીવ કર્મને નાશ કરે છે. આત્માને પરમાત્મપદની પ્રાપ્તિમાં આડે આવનાર કર્મ છે, આત્મા અસંખ્યપ્રદેશી અરૂપી છે, આત્માના એકેક પ્રદેશ અનતિકર્મની વણાઓ લાગી છે; તેથી આત્માના અનંત ગુણેનું આચ્છાદન થયું છે. અર્થાત્ આત્માના ગુણે તિભાવે વર્તે છે. જેમ જેમ કર્મને નાશ થાય છે તેમ તેમ ગુણે પ્રગટે છે, આઠ કર્મને નાશ થવાથી આત્માના આઠ ગુણેને પ્રાદભવ થાય છે તે કહે છે –
www.kobatirth.org
For Private And Personal Use Only