________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦૩ )
મુનિ આદિ મહાપુરૂષોએ ઘાર ઉપસર્ગો સહન કરી આત્મસિદ્ધિ મેળવી છે તે પશુ સમભાવને જ મહિમા છે. ક્રમમ્રુત રાજિષ સમતા સામાયિકમાં રહેલા હતા તે સમયે પાંડવાએ ભાવપૂર્વક વંદનપૂજન કર્યું અને કારવાએ પથરાએથી ઢાંકી દીધા તે પણ તે સમભાવમાં રહ્યા તે તે પરમ સુખના ભાગી થયા. હૈ આત્મન્ ! તું આવા અનેક મહાપુરૂષોનાં જીવનઆદર્શ વિચારી અલ્પાંશે પણ આવા પ્રકારનું ઉત્તમ જીવન જીવવા પ્રયત્ન કર. સંસારના માહ મૂકી સ્વભાવમાં રહી આત્મસ્વરૂપની તુ વિચારણા કર. શ્રી મહાવીરપ્રભુએ સાડાબાર (૧૨) વર્ષ અને એક પક્ષ-પખવાડીયા સુધી મૈાન રહી અનેક અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરી પરમ પૂર્ણ જ્ઞાન-કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય આત્માએને જે આત્મશુદ્ધિના ઉપદેશ કર્યા હતા તે ઉપદેશ સુધર્માસ્વામીએ આચારાંગ આદિ સિદ્ધાન્ત રૂપે ઉપદેશ કર્યા, અનેક નિર્થ થ મહાપુરૂષાએ તેમજ આચાર્ય - મહારાજાએ તદનુસાર ઉપદેશગ્રંથા દ્વારા ઉપદેશ આપ્યા તે પરમ હિતકારી છે અને સ્વસ્વરૂપની ઝાંખી કરાવનાર-સાક્ષાત્કાર કરાવનાર છે, માટે હે આત્મન્! તું પરમ આદર પૂર્વક પરમ શ્રદ્ધા પૂર્વક શ્રવણુ કર, મનન કર, નિશ્ચય કર, તે પ્રમાણે પ્રવૃત્તિ કર ! તુ અવશ્ય કલ્યાણના ભાક્તા થઇશ.
વિ. સ, ૧૯૮૯ તા. ૪-૭-૩૩
વિજાપુર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखीभवन्तु लोकाः 11 3 11
ॐ शान्तिः ३
લે. પરમ ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના લઘુતમ શિષ્ય મુનિ જયસાગર.
For Private And Personal Use Only