________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) तुल्या भवन्ति भवतो ननु तेन किंवा, भूत्याश्रितं य इह नात्मसमं करोति " ॥ १ ॥
(મમરો. ૨૦) ભાવાર્થ-જગતના અલંકારભૂત–સમાન એવા હે નાથ! સત્ય-શ્રેષ્ઠ ગુણવડે આ દુનિયામાં આપની સ્તુતિ કરતા ભવ્યાત્માઓ આપના સરખા થાય છે, એમાં સંશય નથી, અથવા તેથી શું ? આલાકમાં જે પ્રભુ આશ્રિત જનને સમૃદ્ધિવડે પિતાના સમાન શું નથી કરતા ! અર્થાત્ કરે છે. એમ જાણી જિન ધર્મ અને ગુણી પુરૂષોના વચનમાંજ તું આદર કર.” " सद्गुणेष्वादरः कार्यः, कलानां शिक्षणे तथा । અસ્ત્રળતધર્મ , વિચાર્યા વિના રે I ? ”
શ્રેષ્ઠ ગુણેમાં સર્વોત્તમ ધમકલાઓ શીખવામાં તેમજ અરિહંતે પ્રરૂપેલ ધર્મમાં, વિદ્યા વિનય અને નીતિમાં આદર કરવો યોગ્ય છે.”
વળી શુદ્ધ ભાવથી ભાવના કર, શુદ્ધ પ્રેમ હારામાંજ તું રાખો તેથી હારૂં કલ્યાણ થશે. સાચા સુખનું કારણ પણ એજ છે. બાકી કેવળ વિટંબનાની જાળ છે. સંસારમાં જન્મ મરણ કર્માધીન છે, જે જે અંશે કમોધીન સ્વરૂપને અનુભવ તું કરીશ. તેટલા અંશે કર્મનો વિનાશ કરી શકીશ. બાર ભાવના અને દશ વિધ યતિ ધર્મને સમજવો જોઈએ. ભાવના ભાવવાથી સંસાર મેહ છૂટે છે અને યતિધર્મ આદરવાથી શ્રેય થાય છે. અનિત્ય ભાવના (૧) અશરણ ભાવના (૨) સંસાર ભાવના (૩) એકત્વ ભાવના (૪) અન્યત્વ ભાવના (૫) અશુચિ ભાવના (૬) આશ્રવ ભાવના
For Private And Personal Use Only