________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩) સ્વસેવા-ફરજને અદા કરતે છતે પરમાત્મપદની પ્રાપ્તિ ગ્ય સર્વ સદ્ગુણેને પ્રાપ્ત કરી શકે છે. શ્રી ચતુર્વિધ સંઘન્નતિ કરનારાઓએ ભિન્ન ભિન્ન ધર્મવતિ દેશ માનની અને વિશ્વવર્તિ સર્વ જીવની યથાગ્ય સેવા કરીને તેમાંથી ગ્રહતા ઉપગ્રહને પ્રતિબદલે આપ એ આવશ્યક કર્મ ગણુને) આત્મોન્નતિની સાથે વિશ્વ દેશ સંઘ નાત વગેરેની વ્યાવહારિક ઉન્નતિ કરવી જોઈએ. ઉપર્યુક્ત અભેદ ભાવનાનું મન વચન અને કાયામાં પરિપૂર્ણ બળ પ્રગટાવવાથી ચતુર્વિધ મહાસંઘની સેવા થઈ શકે છે એમ ખાસ અવબોધવું. અભેદ ભાવનાને પ્રત્યેક મનુષ્ય ખીલવવી જોઈએ. વિશ્વ સમષ્ટિ, દેશજન સમષ્ટિ, મહાસંઘ સમષ્ટિમાં પોતાની વ્યક્તિરૂપ વ્યષ્ટિને અભેદરૂપે કરવામાં નિર્વિષય શુદ્ધ પ્રેમને ખીલવું જોઈએ. મહાસંધરૂપ સમષ્ટિમાં સ્વવ્યક્તિ–ષ્ટિનું શુદ્ધ પ્રેમમયી લયલીનત્વ કરવું એજ પરમાત્માની સાથે સ્વાત્માનું લયલીનત્વ-અવધવું. વિશ્વવર્તિ સમસ્ત જીવરૂપ મહા સમષ્ટિ વા શ્રીચતુર્વિધ સંધરૂપ સમષ્ટિની સાથે રવિવ્યક્તિ-વ્યત્વિને લયલીન કરવાને જેણે અનુભવ પ્રાપ્ત કર્યો, તેણે શ્રી પરમાત્માની સાથે વાત્માનું લયલીનત્વ કર્યું એમ અવશ્ય અવધવું. નિર્લેપ શુદ્ધ પ્રેમથી શ્રીચતુર્વિધ મહાસંઘની સાથે અભેદતા અનુભવીને તેમાં જેણે સર્વ સ્વાર્પણ કર્યું છે તે પરમાત્મપદની પ્રાપ્તિમાં વિદ્યુત વેગથી પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ અવધવું. સમસ્ત વિશ્વવા દેશ–વા રાજ્ય વા સંઘ વા આચાર્ય–સદગુરુના સેવક બનવું તે અભેદ અને શુદ્ધ પ્રેમવિના કદિ બની શકે નહિ. માટે વિશ્વસેવકે, દેશસેવકે, રાજ્યસેવકે અને શ્રી ચતુર્વિધ સંઘ સેવકે વા કોઈ પણ વ્યવહારિક ધાર્મિક કાર્ય કરનાર સેવકે અભેદ ભાવનાથી શુદ્ધ પ્રેમમય પ્રવૃત્તિ કરવી.
For Private And Personal Use Only