________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્થ થઈ શકે છે. મતભેદને સાવિના એકબીજાની સાથે હાથે હાથ મેળવી કાર્ય કરી શકાય નહિ. મતભેદને નહિ સહન કરનાર ક્ષણમાત્રમાં મગજની સમતલતાને ખેઈ બેસે છે, અને રંગમાં ભંગ પાડી જૈન મહાસંઘની ઉન્નતિમાં વિક્ષેપ નાખે છે અને તેના નિમિત્તે અજેની પાસે વિક્ષેપ નખાવે છે. સામેન્નતિમાં આગળ વધવા માટે મતભેદને સહન કરવા પડે છે તે જૈન મહાસંઘ અને જૈનધર્મની ઉન્નતિમાં અનેક મતભેદોને સહન કર્યા વિના એક પગલું પણ ભરી શકાય નહિ, એમ અવધીને જેણે મતભેદસહિષ્ણુતાને ધારણ કરી હોય છે, તે જ જૈન મહાસંઘસેવા–ગરસેવા-સમાજસેવા-મંડળસેવા વગેરે સેવાઓ કરવાને અધિકારી બને છે. “મને માન મળશે એવી બુદ્ધિ રાખ્યા વિના અનેક વ્યક્તિઓ તરફથી થનાર અપમાનને જે સહન કરે છે, તે જૈનધર્મોન્નતિ માટે આત્મગ અર્પવા સમર્થ થાય છે. આ વિશ્વમાં કોઈ એ મનુષ્ય નહિ હોય કે જેના માટે તેના બે મત ન હેય. કઈ કઈ કહેશે અને કઈ કઈ કહેશે. જેન કેમની સેવા, દેશની સેવા, સમાજની સેવા આદિ અનેક પ્રશસ્ય સેવા કરનારાઓને દુનિયા તરફથી ઘણું અપમાન સહન કરવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને કેટલા ઉપસર્ગ સહન કરવા પડયા છે? છદ્મસ્થાવસ્થામાં વજભૂમિમાં અનાર્યોએ તેમનું અનેક પ્રકારના ખરાબ શબ્દથી અપમાન કર્યું હતું. ઈશુક્રાઈસ્ટ, મહમદ પગંબર, ગૌતમબુદ્ધ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેને અપમાન સહન કરવાં પડયાં હતાં. અપમાન સહન કરવાની આત્મશક્તિ પ્રકટયા વિના જૈન કોમની સેવા, જૈન ધર્મની સેવા, દેશની સેવા, જ્ઞાનાભ્યાસસેવા વગેરે અનેક પ્રકારની
For Private And Personal Use Only