________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેતાં અધ્યાત્મજ્ઞાનને નાશ થતું નથી તેમજ ઉલટું તેથી અધ્યાત્મજ્ઞાનના પુસ્તકો વગેરેની રક્ષા થાય છે માટે અધ્યાત્મજ્ઞાનીઓએ ગીતાર્થ જૈનાચાર્યોની આજ્ઞામાં વર્તીને અને તેઓને ધર્મની પ્રગતિમાં આગેવાન કરીને ધર્મની ઉન્નતિ કરવી જોઈએ, ગચ્છાચાર પન્નાની ટીકામાં સાધુઓ અને સાધવીઓના આચાર અને ગુણે બતાવ્યા છે તથા બ્રહકલ્પની ટીકા વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓનું અપવાદ–ચારિત્ર દર્શાવ્યું છે તે આચાર્યની નિશ્રામાં રહેતાં ઘટી શકે અને તેથી જૈન શાસનની ગંભીરતા જળવાઈ રહે અન્યથા સ્વચ્છ કે વતતાં જૈન સાધુઓ અને સાધ્વીઓ પરથી શ્રદ્ધા ઉકે એવા પ્રસંગે બને અને તેથી જૈન શાસનની અવનતિ થાય. અતએ સંઘાડ-ગચ્છના ઉપરી ઉદાર હદયવાળા ગંભીર ગીતાર્થ આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવું એજ જૈન ધર્મોન્નતિ અને આત્મન્નિતિ માટે જેનેનું ખાસ કર્તવ્ય છે.
જેન કોમરૂ૫ શરીરમાં જૈનાચા એ શીર્ષસમ છે સર્વ અંગમાં શીર્ષની મહત્તા છે. ઉપાધ્યાયે મુખના સમાન છે, પ્રવર્તકે હદયના સમાપ્ત છે અને સાધુઓ હસ્ત સમાન છે. શ્રાવકે અને શ્રાવિકાઓ ઉદર તથા પગ સમાન છે. સાધ્વીઓને સાધુપદમાં સમાવેશ થાય છે. જેને કોમરૂપ આખા શરીરના અંગેએ અને ઉપાંગેએ સર્વનું અને તેના જીવનના સાધન વગેરે સર્વની રક્ષણ કરવાની જરૂર છે. આ પ્રમાણે જ્યારે જૈન કેમરૂપ આખા શરીરના સર્વાંગોપાંગાની રક્ષણતાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, ત્યારે શીર્ષસમ જૈનાચાર્યોની આવશ્યકતા સ્વીકારવામાં આવે તે એમાં તે કઈ આશ્ચર્ય છે જ નહીં. જૈન ધર્મરૂપ શરીર વા જૈન કેમરૂ૫ શરીરના પ્રાણ સમાન
For Private And Personal Use Only