________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૪) તેમ સ્વરૂપ અનુભવાતું નથી. પણ મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનથી જન્ય અને કેવળ જ્ઞાનનું હેતુ એવું અનુભવ જ્ઞાન તેથી શુદ્ધ આત્મસ્વરૂપ ભાસે છે, એવું અનુભવ જ્ઞાન જાણવું. નૈયાયિકાએ ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું છે. પણ તે તે પરોક્ષ જ્ઞાન છે. ઇંદ્રિય જન્ય જ્ઞાનને મતિ જ્ઞાનમાં તથા શ્રુત જ્ઞાનમાં સમાવેશ થાય છે. મતિ અને શ્રુતથી આત્માનું સ્વરૂપ કંઈક જાણી શકાય છે પણ તે પરોક્ષ પણે છે. આત્માર્થી જીવને સાધક અવસ્થામાં પણ પ્રત્યક્ષ પણેજ, જેમ તેમ આત્મજ્ઞાન કરાવનાર તથા નિશ્ચય કરાવનાર કેવળ જ્ઞાનના સરખું અનુભવ જ્ઞાન છે. એ અનુભવ જ્ઞાનને મહા અદભૂત પ્રભાવ છે, તે અનુભવ જ્ઞાન જાણે કેવળ જ્ઞાન રૂપી સૂર્ય હૃદયમાં ઉગ્યું હોય એવું શોભી રહ્યું છે.
નય તથા નિક્ષેપ પણ આત્માનું પક્ષપણે જ્ઞાન તથા શ્રદ્ધા કરાવી આપનાર છે, માટે તે પ્રત્યક્ષ પણેજ જેમ તેમ ભાસન તથા નિર્ધાર કરાવી આપનાર નય, નિ ક્ષેપા, તથા પ્રમાણ નથી. માટે આનંદઘનજી મહારાજ કહે છે કે નય, નિક્ષેપ અને પ્રમાણ પણ સાધક જીવને આત્મજ્ઞાનમાં તથા તેની શ્રદ્ધામાં પરીક્ષપણે પ્રસરે છે. એટલે પ્રકાશ કરે છે, વિકાશ કરે છે, કારણું ભૂત થાય છે. પણ પ્રત્યક્ષ પણે જાણવામાં પૂર્વોકત એ ત્રણને પ્રસાર
For Private And Personal Use Only