________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
પ્રતિજ્ઞા પાલન.
જીવન ખરેખર સુખમય થવાનું છે એ નિશ્ચય કરીને ત્યારથી જે બને તે કર પ્રતિજ્ઞા પાળવામાં પહેલી વિપત્તિ આવે છે. વિપત્તિ આવ્યા વિના પ્રતિજ્ઞાની મહત્તાને પૂર્ણ ખ્યાલ થઈ શકતે નથી. સુવર્ણની પેઠે કષ, છેદ અને તાપરૂપ વિપત્તિથી મનુષ્ય જ્યારે કસાય છે ત્યારે તે સુવર્ણની પેઠે સ્વામીની કિંમત સકલ વિશ્વ પાસે અંકાવવા સમર્થ થાય છે. શિવાજીને પ્રતિજ્ઞા પાલનમાં અનેક વિપત્તિ વેઠવી પડી હતી. દિલ્હીમાં તે કેદી બન્યું હતું. તે નાશી છૂટ હેયે માર્ગમાં અનેક વિપત્તિને પામ્યા હતા. પશ્ચાત્ અનેક વિપત્તિ વેઠીને તેણે હિંદુઓને ઉદ્ધાર કર્યો તેથી ભૂખણ કવિયે કહ્યું કે-શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી, એવી તેની કીર્તિ ગાઈ. વિપત્તિ પડતાં જે હઠી જાય છે તે ક્લીબની ગણતરીમાં ગણાય છે. આ દુનિયામાં વિપત્તિ ખરેખર શિક્ષકની ગરજ સારે છે. વિપત્તિના પ્રસંગોથી ઘણું શિખવાનું મળે છે. મનુષ્યને ઉદયના માર્ગ તરફ વાળીને વિપત્તિ અંતે ખસી જાય છે. જેઠ માસના પૂર્ણ તાપ વિના વૃષ્ટિ થતી નથી તદ્ધત પ્રતિજ્ઞાપાલન પ્રવૃત્તિમાં અનેક વિપત્તિની સાથે યુદ્ધ કરીને પ્રતિજ્ઞાપાલન વરમાળને વરવી પડે છે એમ ખાસ હૃદયમાં પ્રત્યેક મનુષ્ય સમજવું જોઈએ. શત્રુંજયને ઉદ્ધાર કરવામાં જાવડશા અને વજરવામીએ અનેક વિપત્તિ સહન કરી અને શત્રુદ્ધાર કર્યો, તદ્દત મનુષ્યએ વિપત્તિ સહીને પ્રતિજ્ઞા પાળવી જોઈએ. પ્રતિજ્ઞા પાળવામાં જે જે વિપત્તિ પડે તેઓને ઉત્સવ સમાન માનીને પ્રવૃતિ કરવી જોઈએ. જે આવે છે તે જાય છે. વિપત્તિ પણ આવે છે માટે જાય છે એવું જાણી દિનગરીબ ન બનતાં બૈર્યથી પ્રતિજ્ઞા પાળવામાં પ્રવૃતિ કરવી.
પ્રતિજ્ઞા જ્ઞાનીને શેભે, પ્રતિજ્ઞા સંતને શે; પ્રતિજ્ઞાની પડે હાકે, અહો બહાદૂરના મુખથી પણ પ્રતિજ્ઞા ન્યાયીને શેભે, પ્રતિજ્ઞા ગીને શેભે; પ્રતિજ્ઞા ધીરને શેભે, નથી ત્યાં કામ કાયરનું પદ
For Private And Personal Use Only