SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન ને હાનિ.કઈ છે તેને પૂર્ણ વિવેક કરી જોઈએ. આત્માને, કુટુંબને, સમાજને અને દેશને લાભ છેવા હાનિ છે તેને તરતમયેગે વિચાર કરવું જોઈએ અને પશ્ચિાત પ્રતિજ્ઞા ધારણ કરવી જોઈએ એવો જ્ઞાનીએને ઉપદેશ છે. પ્રતિજ્ઞાનું પ્રથમ જ્ઞાન કરવું અને પશ્ચાત્ પ્રતિજ્ઞા કરવી એ અપૂર્વ સિદ્ધ નિયમ છે તેને ભંગ કરીને પ્રતિજ્ઞા કરવાથી સ્વપરને ઘણી હાનિ પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞાઓ પ્રથમ વિચારરૂપ સૂમસૃષ્ટિમાં ઉદ્ભવે છે અને પશ્ચાત્ તેનું કાર્ય, પ્રવૃત્તિથી સ્થૂલ જગમાં દર્શન થાય છે. પ્રતિજ્ઞાના હજારે, લાખે, કરે, પરાર્ધ અને અસંખ્ય ભેદો છે. શુભાદિક અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓનું સ્વરૂપ પ્રથમ અને બેથવું જોઈએ. કેટલીક પ્રતિજ્ઞાઓ આદેય છે કેટલીક પ્રતિજ્ઞાઓ હેયત્યાજ્ય છે અને કેટલીક પ્રતિજ્ઞાઓ આદેહયમિશ્રિત છે. પ્રતિજ્ઞા કરવાથી પ્રામાણ્યજીવનસૃષ્ટિને આરંભ થાય છે માટે પ્રતિજ્ઞા લેતાં પૂર્વે સર્વ શુભાશુભ બાબતેને વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી જોઈએ. દેવ ગુરૂ સાક્ષીએ પ્રતિજ્ઞા કરવી.સંઘ સમક્ષ પ્રતિજ્ઞા કરવી.ગુરૂજનની સલાહ લેઈ પ્રતિજ્ઞા કરવી. કેટલીક પ્રતિજ્ઞાઓ લેતાં પૂર્વે કેટલાક કાળની રાહ જેવી પ્રતિજ્ઞા લેવાને એકદમ હૃદયમાં ઉભરો આવે છે, પરંતુ તેનું પાલનસામર્થ્ય આત્મામાં છે કે નહીં? તેને વિવેકપૂર્વ વિચાર કરવાને પરિણામિક બુદ્ધિવાળા મનુષ્યની સલાહ લેવાની અત્યંત જરૂર છે. કેટલાક વિવેકથી વિચાર કર્યા વિના પ્રતિજ્ઞાઓ ગ્રહે છે પરંતુ પશ્ચાત તેઓ જરા માત્ર હાનિ આવતાં વા વિદત નડતાં સંશયી બનીને તુર્ત પ્રતિજ્ઞાને ત્યાગ કરી દે છે. અએવ ઉપર્યુકત દુહામાં ગુરૂવચ્ચે કથે છે કે હે ભવ્યમનુષ્ય તું પ્રથમ વિચાર કરીને વિવેકવડે પ્રતિજ્ઞા કર અને કર્યા બાદ ડરીશ નહિ. સર્વથી મહાન મરણભીતિ છે. મહત્તમ વધિ મથું. માસમ તારિત મા મૃત્યુ સમાન ભય નથી. આ વિશ્વમાં જન્મ્યા છે, તેટલા મરવાના છે. વાત ધ્રુવં મૃત્યુ ત્યારે પ્રતિજ્ઞા પાળતાં શા માટે ડરવું જોઈએ. પ્રતિજ્ઞાપાલન રણમેદાનમાંથી ડરતાં પણ મયા વિના છૂટકે નથી ત્યારે બહેતર છે કે સર્વ સુજ્ઞ મનુષ્યોએ સ્વપર પ્રગતિ માટે પ્રતિજ્ઞા પાલનમાં મરવું. પ્રતિજ્ઞાથી For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy