SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૧૦૧ દયાકારક પ્રતિજ્ઞા, સત્યવચન પ્રતિજ્ઞા, બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા, મિત્રી સંબંધ પ્રતિજ્ઞા, આધ્યાત્મિક પ્રતિજ્ઞા, બાહ્ય પ્રતિજ્ઞા, સંયમ પ્રતિજ્ઞા, મન પ્રતિજ્ઞા, વ્રત પ્રતિજ્ઞા, અવ્રત પ્રતિજ્ઞા, સુલેશ્યાએ પ્રતિજ્ઞા, કુલેશ્યાએ પ્રતિજ્ઞા, કથન પ્રતિજ્ઞા, લેખન પ્રતિજ્ઞા, દેશદ્ધારક પ્રતિજ્ઞા, ધર્ણોદ્ધારક પ્રતિજ્ઞા, સત્યગ્રાહક પ્રતિજ્ઞા, મેયરથ પ્રતિજ્ઞા, ન્યાયી પ્રતિજ્ઞા, અન્યાયી પ્રતિજ્ઞા, આદેય પ્રતિજ્ઞા, હેય પ્રતિજ્ઞા, આશ્ચર્યકારક પ્રતિજ્ઞા, સંવરકારક પ્રતિજ્ઞા, વચનાર્થ પ્રતિજ્ઞા, ઈર્ષાથી પ્રતિજ્ઞા, સુદેવ ગુરૂ, ધર્મ આરાધક પ્રતિજ્ઞા, ઉચ્ચ પ્રતિજ્ઞા, નીચ પ્રતિજ્ઞા, સરલભાવે પ્રતિજ્ઞા, વિષમભાવે પ્રતિજ્ઞા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સર્વ પ્રકારે ઉન્નતિકારક પ્રતિજ્ઞા ઈત્યાદિ શુભાશુભ અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓનું ગુરૂગમપૂર્વક સ્વરૂપ સમજવું જોઈએ અને પશ્ચાત્ વય, શક્તિ, લાભ, સુખ, પરમાર્થ, પ્રગતિ આદિને વિચાર કરીને પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ. જે કાળે જે આદર્યાથી સ્વલાભ, કુટુંબલાભ, ધર્મલાભ, દેશલાભ, સમાજવાભ, વિશ્વલાભ, સુખ, તથા શાંતિ આદિની પ્રાપ્તિ થતી હોય તેવી પ્રતિજ્ઞાઓને આદરવી જોઈએ. અશુભ, અધમ્ય, પાપકારક, હાનિકારક પ્રતિજ્ઞાઓ કરી હોય તે તેઓને ત્યાગ કરવો જોઈએ. અશુભ પ્રતિજ્ઞાઓ કરવી નહિ અને કરી હોય તો તેને ત્યાગ કરવાથી સ્વપરની હાનિ થતી નથી. પ્રગતિ વિરોધક અશુભ પ્રતિજ્ઞાઓના ત્યાગથી ધર્મ છે પણ અધર્મ નથી. જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિ થતી હોય અને અ૫હાનિપૂર્વક બહુ લાભ થતું હોય તે તે પ્રતિજ્ઞાને શુભમાં ગણી તેને આદર કરે અને તેમાં પ્રાણાર્પણ કરવામાં પાછા હઠવું નહિ. ગંભીર અને ધીર બનીને સમયના જ્ઞાતા થઈ પ્રતિજ્ઞાને કરવી અને પશ્ચાત પાળવામાં પ્રાણાર્પણ કરવું. ગંભીર મનુષ્યોની પ્રતિશાએ ત્વરિત પૂર્ણ થાય છે. મનુષ્યની પ્રતિજ્ઞાઓ જગજાહેર થવાથી તેમાં અનેક વિદને ઉપસ્થિત થાય છે. ગંભીર મનુષ્ય પ્રતિજ્ઞા પાલનમાં યુક્તિપૂર્વક પ્રવર્તે છે અને ધર્યથી અનેક પરિષહે, વિદને વેઠવા સમર્થ બને છે. અએવ ગંભીર, ધીર, બનવાની લાયકાતને પ્રાપ્ત કરીને શુભ પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ. દુનિયાના અનેક વિષયેની લાલસા, તૃષ્ણાઓ, વાસનાઓને પગ તળે કચરી નાખ્યા For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy